લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ


SHARE

















મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ

મોરબી જીલ્લામાં બીજા રાજ્યમાંથી ઘણા મજૂરો રોજગારી માટે આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર અને માળીયામાં ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદે દ્વારા  રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં રોજગાર માટે ઘણા લોકો આવે છે તેને વાંકાનેર અને માળીયા તાલુકામાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પસાર થાય છે જો કે તેને રોકવામાં આવતી નથી જેથી કરીને તેને ત્યાં સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરેલ છે જેમાં ખાસ કરીને ઓખા, હાપા, સોમનાથ સહિતની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો મુસાફરની સુવિધા વધે તેમ છે જો કે, આ માંગણીને ધ્યાને લાવીને તેનું નિરાકરણ નહીં લવાવવામાં આવે તો રેલ રોકોઆંદોલન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે




Latest News