લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત


SHARE

















મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત

મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે વીજ પોલ ઉપર ડીસ કનેક્શનના વાયરના રીપેરીંગ કામ માટે ચઢેલા યુવાનને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે નિશાળ વાળી શેરીમાં હિતેશભાઈ રામૈયાભાઈ કુંભરવાડિયા (૪૫) રહે. મીતાણા ગામ વાળો ડીસ કનેક્શનનો ધંધો કરતો હોય કૃષ્ણનગર ગામે ડીસ કનેક્શનના વાયર રીપેરીંગ કામ માટે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને વીજશોક લાગવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News