મોરબીના ઘૂટું નજીક આવેલ સિરામિક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત
હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં કહીને મોરબીમાંથી યુવાન ગુમ
SHARE









હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં કહીને મોરબીમાંથી યુવાન ગુમ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ ની અંદર રહેતો યુવાન પોતાના ઘરેથી હું ડેમે જાઉં છું મને કોઈ ગોતતા નહીં તેવું કહીને ચાલ્યો ગયો છે અને મોડે સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા અંગે તેના ભત્રીજાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાકાની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ ઉર્ફે પલાભાઇ જદુરામભાઈ શુકલ (૩૬) ગઈકાલે બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે “હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં” તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો જેથી કરીને તેના ભત્રીજા મનીષભાઈ અમૃતલાલ શુકલ (૨૨) રહે. રોહીદાસપરા મોરબી વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકા ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુ તપાસ કરી રહેલા એએસઆઇ વી.ડી. મેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયેલ હોય તેની પત્ની બંને સંતાનોને સાથે લઈને માવતર જતી રહેલ છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે.
