ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ


SHARE













મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ

(શાહરુખ ચૌહાણ દ્વારા) વાંકાનેર સીટી પોલીસ દ્વારા બે ચોરાઉ બાઇક સાથે ચાર શખ્સોની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓએ મોરબી સીટી એ ડીવીઝન અને ચોટીલા પોલીસ સ્ટેશ્નની હદમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના પીઆઇ એન.એ.વસાવાની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળાએ પોકેટકોપના ઉપયોગથી શંકાસ્પદ બાઇક નં. જીજે ૧૩ એઇ ૨૦૨૮ તથા જીજે ૧૩ એન ૫૯૮૫ સાથે મળી આવતા તેને ચેક કરતાં તે બંને બાઇક ચોરી કરેલા હોવાનું સામે આવ્યું હતું અને જીજે ૧૩ એઇ ૨૦૨૮ નંબર વાળું બાઇક મોરબી આયુષ હોસ્પીટલ પાસેથી અજયભાઈ ઉર્ફે પીન્ટુ કમાભાઈ મેથાણીયા અને રોહીતભાઈ કલુભાઈ જખાણીયા ચોરી કરેલ હતું અને જીજે ૧૩ એન ૫૯૮૫ નંબર વાળું બાઇક હરેશભાઈ જગુભાઈ અધારીયા અને રવિભાઈ હકાભાઈ પાટડીયાએ ચોટીલા બજારમાથી ચોરી કરેલની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે ૪૦,૦૦૦ ની કિંમતના બે બાઇકને કબજે કર્યા છે

હાલમાં વાંકાનેર પોલીસે અજયભાઈ ઉર્ફે પીન્ટુ કમાભાઈ મેથાણીયા (૩૦) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલનાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદીર પાસે મેળાના મેદાનમા, રોહીતભાઈ કલુભાઈ જખાણીયા (૨૪) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલનાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ઢેઢુકી તાલુકો ચોટીલા, હરેશભાઈ જગુભાઈ અધારીયા (૨૦) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલ નાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદીર પાસે મેળાના મેદાનમા અને રવિભાઈ હકાભાઈ પાટડીયા (૨૨) રહે. સુરેન્દ્રનગર ટી.બી હોસ્પીટલ પાછળ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇની સુધના મુજબ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ કરી હતી






Latest News