મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ


SHARE











મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ

(શાહરુખ ચૌહાણ દ્વારા) વાંકાનેર સીટી પોલીસ દ્વારા બે ચોરાઉ બાઇક સાથે ચાર શખ્સોની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓએ મોરબી સીટી એ ડીવીઝન અને ચોટીલા પોલીસ સ્ટેશ્નની હદમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેરના પીઆઇ એન.એ.વસાવાની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળાએ પોકેટકોપના ઉપયોગથી શંકાસ્પદ બાઇક નં. જીજે ૧૩ એઇ ૨૦૨૮ તથા જીજે ૧૩ એન ૫૯૮૫ સાથે મળી આવતા તેને ચેક કરતાં તે બંને બાઇક ચોરી કરેલા હોવાનું સામે આવ્યું હતું અને જીજે ૧૩ એઇ ૨૦૨૮ નંબર વાળું બાઇક મોરબી આયુષ હોસ્પીટલ પાસેથી અજયભાઈ ઉર્ફે પીન્ટુ કમાભાઈ મેથાણીયા અને રોહીતભાઈ કલુભાઈ જખાણીયા ચોરી કરેલ હતું અને જીજે ૧૩ એન ૫૯૮૫ નંબર વાળું બાઇક હરેશભાઈ જગુભાઈ અધારીયા અને રવિભાઈ હકાભાઈ પાટડીયાએ ચોટીલા બજારમાથી ચોરી કરેલની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે ૪૦,૦૦૦ ની કિંમતના બે બાઇકને કબજે કર્યા છે

હાલમાં વાંકાનેર પોલીસે અજયભાઈ ઉર્ફે પીન્ટુ કમાભાઈ મેથાણીયા (૩૦) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલનાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદીર પાસે મેળાના મેદાનમા, રોહીતભાઈ કલુભાઈ જખાણીયા (૨૪) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલનાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ઢેઢુકી તાલુકો ચોટીલા, હરેશભાઈ જગુભાઈ અધારીયા (૨૦) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલ નાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદીર પાસે મેળાના મેદાનમા અને રવિભાઈ હકાભાઈ પાટડીયા (૨૨) રહે. સુરેન્દ્રનગર ટી.બી હોસ્પીટલ પાછળ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇની સુધના મુજબ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ કરી હતી






Latest News