મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વડાપ્રધાનના રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલ સંવાદના કાર્યક્રમમાં મોરબીમાં સાંસદ વિનોદભાઇ ચાવડા હાજર રહેશે


SHARE







વડાપ્રધાનના રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલ સંવાદના કાર્યક્રમમાં મોરબીમાં સાંસદ વિનોદભાઇ ચાવડા હાજર રહેશે

ભારતને મળેલ સ્વતંત્રતાની યાદમાં રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગના ભાગ રૂપે, ૩૧મી મે ના રોજ  માનનીય વડાપ્રધાન ભારત સરકારના નવ મંત્રાલયો/વિભાગોમાં ફેલાયેલી લગભગ સોળ યોજનાઓ/પ્રોગ્રામ્સના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે અને વિવિધ યોજનાઓના કરોડો લાભાર્થીઓ સાથે વડાપ્રધાન વાર્તાલાપ કરશે. મોરબી જિલ્લો પણ આ કાર્યક્રમનો ભાગ બનવા જઇ રહ્યો છે. અને શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે યોજાનાર કાર્યક્રમમાં સવારે ૯ વાગ્યે  કચ્છ–મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા અધ્યક્ષ સ્થાને હાજર રહેશે જેમાં અન્ય સ્થાનિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સવારે ૧૧: ૦૦  વાગ્યે જિલ્લા કક્ષાના કાર્યક્રમને રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડવામાં આવશે. ત્યારે વડાપ્રધાન શિમલાથી લાઈવ હશે

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી બંને), પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ અને શહેરી બંને), જલ જીવન મિશન અને AMRUT, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રાશન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી તમામ યોજનાઓ વસ્તીના સૌથી ગરીબ વર્ગને સંબોધિત કરે છે; તેથી, આ કાર્યક્રમને યોગ્ય રીતે "ગરીબ કલ્યાણ સંમેલન" નામ આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અનેક યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનમાં સરળતા લાવવા સાથે  સંકલન અને સંતૃપ્તિની શક્યતાઓ શોધવાનો પણ છે.આ સંમેલન એ તમામ જિલ્લાઓમાં ફેલાયેલા અત્યાર સુધીના સૌથી મોટા સિંગલ-ઇવેન્ટ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાંનો એક છે, જેમાં વડાપ્રધાન લાભાર્થીઓ સાથે આવાસ, પીવાના પાણીની ઉપલબ્ધતા, ખોરાક, આરોગ્ય અને પોષણ, આજીવિકા વગેરેને આવરી લેતી વ્યાપક યોજનાઓ/કાર્યક્રમો વિશે વાર્તાલાપ કરશે.

૩૧મી મે ના રોજ શિમલા ખાતે રાષ્ટ્રીય સ્તરનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન કિસાન સન્માન નિધિનો ૧૧મો હપ્તો ખેડુતોના ખાતામાં જમા કરાવશે તેમજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરમાં ફેલાયેલા કરોડો લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.રાષ્ટ્રીય સંમેલનનું દૂરદર્શન દ્વારા તેની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાષ્ટ્રીય કાર્યક્રમને MyGov દ્વારા વેબકાસ્ટ કરવાની પણ જોગવાઈઓ કરવામાં આવી છે જેના માટે લોકોએ પોતાની નોંધણી કરાવવી જરૂરી છે તેમજ અન્ય સોશિયલ મીડિયા ચેનલો જેમ કે યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે દ્વારા પણ આ રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમને જોઈ શકાય છે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વાર્તાલાપ માત્ર આ યોજનાઓના લોકો-કેન્દ્રિત અભિગમને પ્રકાશિત કરશે જે  ન ફકત નાગરિકોના જીવનની સરળતા તરફ દોરી જશે પરંતુ સરકારને લોકોની આકાંક્ષાઓ પર પણ પ્રબુદ્ધ કરશે અને સુનિશ્ચિત કરશે કે રાષ્ટ્રની પ્રગતિની કૂચમાં કોઈ પણ પાછળ ન રહે.






Latest News