ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં ઘરેથી ડેમે જવાનું કહીને નીકળેલા યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી


SHARE

















મોરબીના રોહિદાસપરામાં ઘરેથી ડેમે જવાનું કહીને નીકળેલા યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ ની અંદર રહેતો યુવાન પોતાના ઘરેથી હું ડેમે જાઉં છું મને કોઈ ગોતતા નહીં તેવું કહીને ચાલ્યો ગયો હતો અને મોડે સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા અંગે તેના ભત્રીજાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાકાની ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી દરમ્યાન યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી આવી હતી જેથી પોલીસે તે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ ઉર્ફે પલાભાઇ જદુરામભાઈ શુકલ (૩૬) શનિવારે બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં” તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો જેથી કરીને તેના ભત્રીજા મનીષભાઈ અમૃતલાલ શુકલ (૨૨) રહે. રોહીદાસપરા મોરબી વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકા ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી તેવામાં આ યુવાનની લાશ મોરબીમાં આવેલા કેશવાનંદ બાપુના આશ્રમ સામે મચ્છુ નદીમાંથી મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બાળકી-યુવાન સારવારમાં

મોરબીના શનાળા પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી મિતલબેન ભગવાનજીભાઈ ચાવડા નામની ૧૨ વર્ષીય બાળકી પોતાના પરિવારજન સાથે બાઈકમાં બેસીને જતી હતી ત્યારે કંડલા બાયપાસ ઉપર તે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યારે મોરબીના વાવડી રોડ ઉપરની સોમૈયા સોસાયટીમાં રહેતો જય ગીરીશભાઈ જોગીદાસ નામનો ૨૩ વર્ષીય યુવાન બાઇક લઇને વાવડી રોડ ઉપરથી જતો હતો તે દરમિયાન તેનું બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.




Latest News