મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રોહિદાસપરામાં ઘરેથી ડેમે જવાનું કહીને નીકળેલા યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી


SHARE







મોરબીના રોહિદાસપરામાં ઘરેથી ડેમે જવાનું કહીને નીકળેલા યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ ની અંદર રહેતો યુવાન પોતાના ઘરેથી હું ડેમે જાઉં છું મને કોઈ ગોતતા નહીં તેવું કહીને ચાલ્યો ગયો હતો અને મોડે સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા અંગે તેના ભત્રીજાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાકાની ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી દરમ્યાન યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી આવી હતી જેથી પોલીસે તે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ ઉર્ફે પલાભાઇ જદુરામભાઈ શુકલ (૩૬) શનિવારે બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં” તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો જેથી કરીને તેના ભત્રીજા મનીષભાઈ અમૃતલાલ શુકલ (૨૨) રહે. રોહીદાસપરા મોરબી વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકા ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી તેવામાં આ યુવાનની લાશ મોરબીમાં આવેલા કેશવાનંદ બાપુના આશ્રમ સામે મચ્છુ નદીમાંથી મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બાળકી-યુવાન સારવારમાં

મોરબીના શનાળા પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી મિતલબેન ભગવાનજીભાઈ ચાવડા નામની ૧૨ વર્ષીય બાળકી પોતાના પરિવારજન સાથે બાઈકમાં બેસીને જતી હતી ત્યારે કંડલા બાયપાસ ઉપર તે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યારે મોરબીના વાવડી રોડ ઉપરની સોમૈયા સોસાયટીમાં રહેતો જય ગીરીશભાઈ જોગીદાસ નામનો ૨૩ વર્ષીય યુવાન બાઇક લઇને વાવડી રોડ ઉપરથી જતો હતો તે દરમિયાન તેનું બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News