મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયામાં ઘર કામ માટે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત


SHARE











હળવદના દિઘડિયામાં ઘર કામ માટે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત

વર્તમાન સમયમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે અને આપઘાત કરવા પાછળના કારણ પણ સમાજ માટે ચિંતાજનક હોય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવો જ એક બનાવ સામે આવેલ  છે જેમાં સગીરને ઘર કામ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાજીબેન કરશનભાઇ નંદેસરીયા (૧૭) એ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં પોલીસ કર્મચારી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરાને ઘર કામ બાબતે પરિવારે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા માતા પિતા બહાર ગામ ગયા હતા ત્યારે તેને આપઘાત કરી લીધેલ છે

મારા મારીમાં ઇજા

વાંકાનેરમાં થયેલ મારા મારીમાં ગીતાબેન મહેન્દ્રભાઇ રવિદાસ નામની ૩૫ વર્ષીય મહિલાને ઇજા થઈ હતી જેથી આ મહિલાને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ  ખસેડવામાં આવેલ છે 






Latest News