હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નળીયા, પેપરમીલ, લેમીસનેટસ સહિતના ઉદ્યોગોને પૂરતો કોલસો આપવા સીએમને રજૂઆત: આંદોલનની ચીમકી


SHARE











મોરબીના નળીયા, પેપરમીલ, લેમીસનેટસ સહિતના ઉદ્યોગોને પૂરતો કોલસો આપવા સીએમને રજૂઆત: આંદોલનની ચીમકી

મોરબીની આસપાસના વિસ્તારમાં નળીયા, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીક સહિતના ઉદ્યોગ આવેલા છે જેમાં લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, જીએમડિસિ મારફતે ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં આવતો નથી અને બીજી બાજુ કોલસાના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે જેથી ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ બની ગયો છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ મુદે સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો કોલસો પૂરતા પ્રમાણમા નહિ આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા સીએમને કોલસા માટે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નળીયા, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીક સહિતના મધ્યમ અને નાના ઉદ્યોગમાં લીગ્નાઇટ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસો છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમા જીએમડિસિ તરફથી આપવામાં આવી રહ્યો નથી જેથી કરીને ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ બની ગયો છે અને એક વર્ષ પહેલા જે લીગ્નાઇટ કોલસો રપ૦૦ના ભાવે મળતો હતો તે આજની તારીખે ૫૦૦૦ ના ભાવે મળે છે જેથી માલની પડતર કિંમત ઊંચી આવે છે અને બજારમાં ટકી શકાય તેવી પરિસ્થિતી રહી નથી ત્યારે જીએમડિસિ તરફથી નકકી કરવામાં આવેલ ધોરણ મુજબ કોલસો આપવામાં આવે તે જરૂરી છે

હાલમાં કરાયેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, કોલસાનું સંચાલન કરતી જીએમડિસિમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને દલાલો વધારે ભાવ લઇને કારખાનામાં લીગ્નાઇટ પુરો પાડે છે. જેથી ઉદ્યોગકારોને વધારે રૂપિયા આપવા પડે છે માટે જીએમડીસીમાં જે વચોટીયાની હાજરી છે તેને નાબુદ કરવામાં આવે તથા ભ્રષ્ટાચારની તટસ્થ તાત્કાલીક અસરથી તપાકરવામાં આવે તેવી માંગ કરેલ છે અને મોરબીમાં આવેલ મધ્યમ તેમજ નાના ઉદ્યોગોને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે જો ૧૫ દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News