મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત


SHARE







હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાં ડુબી જવાથી તરૂણનું મોત

હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી-૨ ડેમમા ૧૪ વર્ષનો તરુણ ડૂબી ગયો હતો જેની તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તરવૈયાઓએ સ્થળ ઉપર પહોચીને પાણીમાં બાળકને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને પાણીમાંથી બાળકની લાશને બહાર કાઢીને પીએમ માટે હળવદ ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે જામનગર ખાતે રહેતો રાજકુમાર અશોકભાઈ પંડ્યા (૧૪) કે જે તેના મામા અને પરિવારજનોની સાથે કુળદેવી માતાજીના મંદિરે છેડાછેડી છોડવા માટે આવી રહ્યો હતો તે સૂર્યનગર નજીક બ્રાહ્મણી-૨ ડેમના કાંઠે હાથ પગ ધોવા ઊભો હતો ત્યારે અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને ફાયરની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ભારે મહેનતના અંતે તરવૈયાની ટીમે બાળકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢયો હતો અને પીએમ માટે મૃતદેહને હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News