મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ૬૫ કર્મચારીઓની આંતરજિલ્લા ફેરબદલી


SHARE











મોરબી જિલ્લા પંચાયતના ૬૫ કર્મચારીઓની આંતરજિલ્લા ફેરબદલી

હાલમાં જ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના ૧૦૬૭ કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના પંચાયત વિભાગના ૬૫ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પામી રહેલા કર્મચારીઓ સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વાર્તાલાપ કરી રાજ્ય સરકારનો કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો.

મોરબી જિલ્લામાંથી બદલી પામી રહેલા કર્મચારીઓને બદલીના હુકમો આપી તેઓની સાથે વાર્તાલાપ કરતાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સમતોલ અને લોકાભિમુખ વહિવટ માટે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ખૂબ જ જરૂરી છે. કર્મચારીઓનો લાંબા સમયથી અટકેલો આંતર જિલ્લા ફેરબદલીનો પ્રશ્ન નિવારવામાં સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર બન્નેનો પૂરો સહકાર રહ્યો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, બદલી પામેલા કર્મચારીઓના ચહેરા પર માતા-પિતા, બાળકો અને પરિવારને મળવાનો રાજીપો દેખાઇ રહ્યો છે. સાથે જ મંત્રીએ તમામ કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી અરજદારોને ધ્યાને લઇને કામગીરી કરવા જણાવ્યું હતું. અને આંતરજિલ્લા ફેરબદલી થયેલ કર્મચારીઓએ તેમના પ્રતિભાવો આપી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઉમદા અભિગમ દાખવી તાજેતરમાં પંચાયત વિભાગ દ્વારા ગુજરાતના કુલ ૧૦૬૭ કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી. જે પૈકી મોરબી જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૬૫ જેટલા કર્મચારીઓને તેમના વતનમાં આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓ સાથે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઇશીતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા તેમજ ફેરબદલી થયેલ પંચાયત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News