ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો


SHARE













મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નાઈટરાઉન્ડમાં હતો તે દરમિયાન સ્ટાફને મળેલ બાતમી આધારે બેલા ગામે આવેલ ગેરેજ નજીક તપાસ કરવામાં આવતા ત્યાંથી પોલીસને બીયરના ૧૪૨ ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસ દ્વારા બીયરના ૧૪૨ ટીન સાથે હાલમાં એક ઈસમની ધરપકડ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ મોરબીના બેલા ગામ પાસે આવેલ દેવ મોટર્સ ગેરેજ નજીક પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન મળેલ બાતમીને આધારે દેવ મોટર નજીક સર્ચ કરવામાં આવતા ત્યાંથી બીયરના ૧૪૨ ટીનની સાથે દિવ્યેશ કિશોરભાઇ અંબાણી જાતે પટેલ (ઉમર ૨૮) રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી-૨ વાળો મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂપિયા ૧૪,૨૦૦ ની કિંમતના બીયરના ૧૪૨ ટીન જપ્ત કરીને દિવ્યેશ અંબાણી વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો..? અને તે કોને કોને વેચાણ કરતો હતો..? એ દિશામાં તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વિશીપરાના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો મહેન્દ્રભાઈ કિશોરભાઈ સારેસા નામના ૧૭ વર્ષીય યુવાન માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે પડધરીનો રહેવાસી ઇરફાનભાઇ હુસેનભાઇ હાલા નામનો ૨૮ વર્ષીય યુવાન મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને પણ સારવારમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે બંને બનાવો અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક આવેલ સનસેરા સિરામિક નામના યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રોહિતકુમાર ઉદનાભાઈ શાહ (૨૦) અને વિરેન્દ્ર ક્રિષ્નાભાઈ શાહ (૨૩) નામના બે પરપ્રાંતીય યુવાનોને ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જેથી નોંધ કરી પોલીસે મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News