મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો


SHARE







મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ નાઈટરાઉન્ડમાં હતો તે દરમિયાન સ્ટાફને મળેલ બાતમી આધારે બેલા ગામે આવેલ ગેરેજ નજીક તપાસ કરવામાં આવતા ત્યાંથી પોલીસને બીયરના ૧૪૨ ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસ દ્વારા બીયરના ૧૪૨ ટીન સાથે હાલમાં એક ઈસમની ધરપકડ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ મોરબીના બેલા ગામ પાસે આવેલ દેવ મોટર્સ ગેરેજ નજીક પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન મળેલ બાતમીને આધારે દેવ મોટર નજીક સર્ચ કરવામાં આવતા ત્યાંથી બીયરના ૧૪૨ ટીનની સાથે દિવ્યેશ કિશોરભાઇ અંબાણી જાતે પટેલ (ઉમર ૨૮) રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી-૨ વાળો મળી આવ્યો હતો.જેથી હાલમાં રૂપિયા ૧૪,૨૦૦ ની કિંમતના બીયરના ૧૪૨ ટીન જપ્ત કરીને દિવ્યેશ અંબાણી વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો..? અને તે કોને કોને વેચાણ કરતો હતો..? એ દિશામાં તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વિશીપરાના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો મહેન્દ્રભાઈ કિશોરભાઈ સારેસા નામના ૧૭ વર્ષીય યુવાન માળીયા હાઇવે ઉપર અમરનગર ગામ પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે પડધરીનો રહેવાસી ઇરફાનભાઇ હુસેનભાઇ હાલા નામનો ૨૮ વર્ષીય યુવાન મોરબીના નવલખી રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતાં તેને પણ સારવારમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે બંને બનાવો અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર નજીક આવેલ સનસેરા સિરામિક નામના યુનિટ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રોહિતકુમાર ઉદનાભાઈ શાહ (૨૦) અને વિરેન્દ્ર ક્રિષ્નાભાઈ શાહ (૨૩) નામના બે પરપ્રાંતીય યુવાનોને ઇજાઓ પહોંચતાં બંનેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.જેથી નોંધ કરી પોલીસે મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News