ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ નજીક લૂંટારુંના આંતકની ફરિયાદ ન લેવાતા ચેમ્બર ઓફ કોમર્સ- વેપારી મહામંડળની બેઠક મળી: પિઆઈની તાત્કાલિક બદલી


SHARE













હળવદ નજીક લૂંટારુંના આંતકની ફરિયાદ ન લેવાતા ચેમ્બર ઓફ કોમર્સ- વેપારી મહામંડળની બેઠક મળી: પિઆઈની તાત્કાલિક બદલી

હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો માહોલ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે તેવામાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલી ઇન્સ્ટ્રીઝ વિસ્તારમાં લુટારુઓએ ધામા નાખ્યા હતા અને તેની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળની બેઠક મળી હતી દરમ્યાન હળવદના પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે

હળવદ માળીયા હાઇવે ઉપર એકી સાથે સાતથી આઠ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી છે અને ગંગોત્રી ઓઇલ મિલ સહિતના કારખાનામાં આ ટોળકીએ માલિક અને મજૂરોને માર માર્યો હતો અને લૂંટ ચલાવી હતી અને આ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જેની પોલીસને જાણ કરવામાં આવી તો પણ આ બનવાની સાંજ સુધીમાં ફરિયાદ ન લેવામાં આવતા હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળની બેઠક મળી હતી જેમાં એસઓજી પીઆઇ સહિતના અધિકારીઑ હાજર રહ્યા હતા ત્યારે તાત્કાલિક ફરિયાદ નોંધીને અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે હાલમાં કથળી રહી સી હે તે મુદે યોગી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હળવદના પીઆઇ કે.જે.માથુકીયાની લીવ રીઝર્વમાં બદલી કરવામાં આવી છે અને ટેન જગ્યાએ લીવ રિઝર્વમાંથી પીઆઇ એમ.વી. પટેલને મૂકવામાં આવ્યા  છે






Latest News