વાંકાનેરના લીંબાળા ગામે વાડીએ સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
હળવદના મયૂરનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE









હળવદના મયૂરનગર ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
હળવદ તાલુકાના મયૂરનગર ગામે સસરાના ઘરે પરણિતા ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન રાજકોટ ખાતે પરિણીતાનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા મયૂરનગર ગામે રહેતા પાયલબેન પ્રવીણભાઈ આહીર (૨૭) પોતાના સસરાના ઘરે હતા ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા તેઓ ગત તા. ૨૮/૫ ના રોજ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલીક સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાહન અકસ્માત
મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના રહેવાસી મનસુખભાઈ ભગવાનજીભાઈ ભાડજા નામના ૪૮ વર્ષીય યુવાનને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ રોયલ પ્લાઝા પાસે રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહને હડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જેથી હાલમાં તાલુકા પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટિયા પાસે રહેતા કૈલાશ ગંગારામભાઈ શિંગાળા નામના ૩૨ વર્ષીય યુવાનને સામખીયાળી ટોલનાકા પાસે અજાણ્યા ટ્રક સાથે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ લોહાણાપરા વિસ્તારમાં રહેતા રજીયાબેન અબ્દુલભાઈ સીંચોદરા નામના ૬૭ વર્ષીય વૃદ્ધાને ઘર પાસે શેરીમાં ગાયે હડફેટે લેતા હાથના ભાગે ઇજાઓ થવાથી તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
