તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી 


SHARE











મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પરપ્રાંતીય મજૂરની કોહવાયેલી લાશ મળી 

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરતા પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ હોવાનું ખુલ્યું હતું.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપરથી તા.૧૧-૭ ના સવારના અગીયારેક વાગ્યાના અરસામાં એક લાશ મળી આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા આવતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ જઈને તપાસ કરી હતી અને લાશ ડીકમ્પોઝ હાલતમાં હોય રાજકોટ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેવામાં આવી હતી અને બાદમાં તપાસ કરતાં મૃતકનું નામ નિશિકાંતદાસ મોહનદાસ ગૌત્ર (૪૬) હોવાનું જાણવા મળ્યું હતું અને બીમારીવસ તેનું મોત નીપજ્યું હતુ.તેમ તપાસ અધીકારી એફ.આઇ.સુમરોએ જણાવ્યું છે.

મારામારીમાં ઇજા 

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હરિભાઈ ચાવડા નામના એકાવન વર્ષના આધેડને મિત્ર સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો તે વાતમાં મારામારીમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News