મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારા-મિતાણા વચ્ચે ટેન્કર સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધનું મોત


SHARE







ટંકારા-મિતાણા વચ્ચે ટેન્કર સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મિતાણા વચ્ચે પાણીના ટેન્કર સાથે રિક્ષા અથડાતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર ભાંગલની વાડીમાં રહેતા દેવરાજભાઈ ખેતાભાઇ પરમાર (૫૫) રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને પોતાની રિક્ષા લઈને તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મીતાણા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હોવાથી દેવરાજભાઈ ખેતાભાઇ પરમારનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે મૃતકના ભત્રીજા વસંતભાઈ પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું મોરબી રાજકોટ વચ્ચે ડિવાઈડરમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેને પાણી પાવા માટે જે ટેન્કર દોડતા હોય છે તે ટેન્કરના ચાલકે અચાનક પોતાનું ટેન્કર વાળી લેતા તે ટેન્કરની સાથે તેઓના કાકાની રીક્ષા અથડાઇ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના કાકાને ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતથી મૃત્યુના આ બનાવને લીધે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના કવાડીયા ગામ પાસે ટ્રેક્ટરમાં પગ આવી જવાના કારણે સુરેશભાઈ ફૂલ્લાભાઈ મકવાણા (ઉંમર ૩૬) ને પગમાં ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જેથી કરીને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News