ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા-મિતાણા વચ્ચે ટેન્કર સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધનું મોત


SHARE













ટંકારા-મિતાણા વચ્ચે ટેન્કર સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મિતાણા વચ્ચે પાણીના ટેન્કર સાથે રિક્ષા અથડાતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર ભાંગલની વાડીમાં રહેતા દેવરાજભાઈ ખેતાભાઇ પરમાર (૫૫) રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને પોતાની રિક્ષા લઈને તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મીતાણા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હોવાથી દેવરાજભાઈ ખેતાભાઇ પરમારનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે મૃતકના ભત્રીજા વસંતભાઈ પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું મોરબી રાજકોટ વચ્ચે ડિવાઈડરમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેને પાણી પાવા માટે જે ટેન્કર દોડતા હોય છે તે ટેન્કરના ચાલકે અચાનક પોતાનું ટેન્કર વાળી લેતા તે ટેન્કરની સાથે તેઓના કાકાની રીક્ષા અથડાઇ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના કાકાને ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતથી મૃત્યુના આ બનાવને લીધે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના કવાડીયા ગામ પાસે ટ્રેક્ટરમાં પગ આવી જવાના કારણે સુરેશભાઈ ફૂલ્લાભાઈ મકવાણા (ઉંમર ૩૬) ને પગમાં ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જેથી કરીને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News