હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત


SHARE











ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ કોઈ કારણોસર પટેલ યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજતાં મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ જઈને વાડીની ઓરડીમાં પોતાની જાતે ભાવેશભાઇ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (ઉમર ૩૪) રહે. લોવાસ ટંકારા જી.મોરબીએ ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને ભાવેશભાઇ કોરીંગાનું મોત નિપજતાં મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી ટંકારા પોલીસને જાણ થતાં હાલમાં બનાવના કારણ અંગે ટંકારા પોલીસ મથકના એસ.બી.સિદ્દીકી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઘવાયેલ કાકા-ભત્રીજાને રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં નજીવી વાતે સામસામે ધારીયા, પાઇપ અને છરી જેવા હથિયારો વડે જુથ અથડામણની મારામારી થઈ હતી.જેમાં ઇજાગ્રસ્તોને મોરબીની હોસ્પીટલે ખસેડાયા હતા અને જે પૈકી બેની હાલત નાજુક જણાતાં જીતેન્દ્ર મનુભાઈ પાટડીયા કોળી (૩૨) અને તેના કાકા નારણભાઈ મોહનભાઈ પાટડીયા કોળી (૬૯) રહે. બંને ત્રાજપર સામાકાંઠે મારબી-૨ વાળાઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબીની પલક પેપર મીલના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા માનતીબેન વિક્રમકુમાર લક્ષ્મીપ્રસાદ નામની ૨૪ વર્ષીય મહિલા ગઇકાલના કોઈ કારણોસર ઝુ મારવાનો પાઉડર પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News