હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત


SHARE

















ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ કોઈ કારણોસર પટેલ યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજતાં મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ જઈને વાડીની ઓરડીમાં પોતાની જાતે ભાવેશભાઇ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (ઉમર ૩૪) રહે. લોવાસ ટંકારા જી.મોરબીએ ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને ભાવેશભાઇ કોરીંગાનું મોત નિપજતાં મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી ટંકારા પોલીસને જાણ થતાં હાલમાં બનાવના કારણ અંગે ટંકારા પોલીસ મથકના એસ.બી.સિદ્દીકી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઘવાયેલ કાકા-ભત્રીજાને રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં નજીવી વાતે સામસામે ધારીયા, પાઇપ અને છરી જેવા હથિયારો વડે જુથ અથડામણની મારામારી થઈ હતી.જેમાં ઇજાગ્રસ્તોને મોરબીની હોસ્પીટલે ખસેડાયા હતા અને જે પૈકી બેની હાલત નાજુક જણાતાં જીતેન્દ્ર મનુભાઈ પાટડીયા કોળી (૩૨) અને તેના કાકા નારણભાઈ મોહનભાઈ પાટડીયા કોળી (૬૯) રહે. બંને ત્રાજપર સામાકાંઠે મારબી-૨ વાળાઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

મહિલા સારવારમાં

મોરબીની પલક પેપર મીલના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા માનતીબેન વિક્રમકુમાર લક્ષ્મીપ્રસાદ નામની ૨૪ વર્ષીય મહિલા ગઇકાલના કોઈ કારણોસર ઝુ મારવાનો પાઉડર પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News