ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકારોને દૂર રાખીને એસપીનો લોક દરબાર યોજાયો !: વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો ઢગલો


SHARE













મોરબીમાં પત્રકારોને દૂર રાખીને એસપીનો લોક દરબાર યોજાયો !: વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો ઢગલો

મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસપીના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિભાગના આગેવાનો  સહિતનાઓને બોલાવવામાં આવ્યા હતા જો કે, લોકોની સમસ્યાઓને હરહમેશ ઉજાગર કરતાં પત્રકારોને પોલીસ વિભાગ દ્વારા કેમ આ લોક દરબારની કોઈ જાણ કરવામાં આવી ન હતી તે સૌથી મોટો સવાલ છે જો કે, આ લોક દરબારમાં પણ વર્ષોથી મોરબીમાં યોજાતા લોક દરબારમાં આગેવાનો દ્વારા જે સમસ્યાઓ રજૂ કરવામાં આવે છે તે રાબેતા મુજબની વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો ઢગલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આ સમસ્યાઓનો ઉકેલ કયારે લઈને આવશે તે તો આગામી સમય જ બતાવશે

અગાઉ જ્યારે પણ મોરબીમાં પોલીસ દ્વારા લોક દરબાર કે શાંતિ  સમિતિની બેઠકો મળતી હતી ત્યારે પત્રકારને આમંત્રણ આપવામાં આવતું હતું જોકે, છેલ્લા ઘાણ સમયથી પોલીસ દ્વારા આ અંગેની કોઈ જાણ પત્રકારોને કરવામાં આવતી નથી જેના પાછળનું બીજું કોઈ કારણ હોય કે નહીં પરંતુ લોકો દ્વારા જો કે, વ્યાજખોરી સહિતના મુદે જે ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવે અને તેને પત્રકારો ઉજાગર કરે તો તે પોલીસની નબળી કામગીરી દેખાઈ માટે પત્રકારોને પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર યોજાઇ તો તેની જાણ કરવામાં આવતી નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

તાજેતરમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એસપીની હાજરીમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં સિલેક્ટેડ વેપારીઓ, ઉદ્યોગકારો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓને રાબેતા મુજબ બોલાવવામાં આવ્યા હતા જો કે, મોરબીના લોકોના હિતમાં કામ કરતાં પત્રકારને આ લોક દરબારની કોઈ જાણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી ન હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોક દરબારમાં જે લોકો હાજર હતા તેમના દ્વારા રાબેતા મુજબ વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણના મુદે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને આવી રજૂઆતો છેલ્લા વર્ષોમાં યોજાયેલા દરેક લોક દરબારમાં પોલીસને કરવામાં આવી છે જો કે, વાસ્તવિક્તાએ છે કે, હજુ સુધી તેનો કામી નિકાલ કરવામાં આવેલ નથી અને માત્ર ફોટો સેશન પૂરતા જ લોક દરબાર યોજાતા હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે

મોરબીમાં ગેરકાયદે વ્યાજના ધંધા કરતાં અને હાટડા ધમધમી રહ્યા છે અને તેમાં કોના રૂપિયા વ્યાજ ફરી રહ્યા છે તેની ચર્ચા જગ જાહેર કરવામાં આવી રહી છે તો પણ કોઈ અસરકારક પગલાં આજ સુધી પોલીસ કે સબંધિત વિભાગ દ્વારા કેમ લેવામાં આવે નથી તે પણ તપાસનો વિષય છે અને અત્યાર સુધીમાં વ્યાજના વિષચક્રમાં ફસાવીને ઘણા લોકોને તેના જીવ ગુમાવ્યા છે તે મુદે વધુ એક વખય એસપીના લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી છે તેવી જ રીતે મોરબીના નગર  દરવાજા સહિતના ચોક અને રોડ રસ્તાઓ ઉપર આડેધડ દબાણો કરી લેવામાં આવેલ છે તેના મુદે અને શહેરના ટ્રાફિક મુદે આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે જો કે, વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ કયારે આવશે તે તો સમય જ બતાવશે






Latest News