હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીની બગથળા હાઈસ્કૂલના ૧૯૭૬ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ ભાવવંદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના મુકામે ભગવતી હૉલ ખાતે બગથળા હાઈસ્કુલના ૧૯૭૬ ની સાલના એસ.એસ.સી બેન્ચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન અને ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુજનોનું ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની શરૂઆતમાં છેલ્લા વર્ષોમાં અકાળે અવસાન પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ટી.એમ.પંડયા, આર.ટી. મેવા સહિતના ગુરુજનો આ તકે હાજર રહ્યા હતા અને તમામ  મહાનુભાવોએ વીતેલા સંસ્મરણોની યાદ તાજી કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલા સહાધ્યાયીઓનો કેશવજીભાઇ ગોવિંદભાઇ સરડવાએ આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન અમૃતલાલ કેશવજીભાઇ ઠોરીયા અને સુરેશભાઈ નાગપરા દ્વારા કરવામાં આવેલ હતું




Latest News