ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત


SHARE













મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત

મોરબી નગરપાલિકા દ્વારા લોકોએન રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવીને ત્યારે રજડતા ઢોરને પકડીને મૂકવામાં આવે છે તેના નિભાવ માટે દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેથી કરીને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રજડતા ઢોરની સમસ્યા હતી તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો ન હતો જો કે, પાલિકાના વર્તમાન પ્રમુખ કે.કે. પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેની ટીમ દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખા ગુજરાતમાં એક માત્ર મોરબી નગરપાલિકા દ્વારા નંદીઘરનું સંચાલન કરવામાં આવે છે આ નંદીઘરમાં આજની તારીખે ૨૨૦૦ જેટલા ગૌ વંશોનો નિભાવ કરવામાં આવી રહયો છે જેના માટે મોરબીમાં બજરંગ ધૂન મંડળ, ધક્કા વાળી મેલડી માતાજી મંદિર, શામજીભાઈ રંગપરિયા, વિનુભાઇ રૂપાલા સહિતના દાતાઓ દ્વારા અવિરત પણે દાન આપવામાં આવે છે જેથી કરીને આ દાતાઓના સન્માન માટેનો કાર્યક્રમ પંચાસર રોડે બનાવવામાં આવેલા નંદીઘર ખાતે રાખવામા આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાકારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ તેમજ તમામ ચેરમેન અને સદસ્યઓ તથા પાલિકાના અધિકારીઑ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા






Latest News