મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી


SHARE











મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને આ વર્ષે એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી પાસ થયા છે

આજે ધો.૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં વર્ષો ૨૦૨૧-૨૨ માટે નોંધાયેલા ધો ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લાનું ચાલુ વર્ષનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને જો વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ ઉપર નજર કરીએ તો આ વર્ષે એ-વન ગ્રેડમાં ૩૦૪, એ-ટુ ગ્રેડમાં ૧૨૨૬બી-વન ગ્રેડમાં ૧૭૭૦બી-ટુ ગ્રેડમાં ૨૧૨૮ વિદ્યાર્થી પાસ થયા છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં ધો ૧૦ ના પરિણામમાં વર્ષ ૨૦૨૦માં મોરબી જિલ્લો સાતમાં કર્મે હતો જે ચાલુ વર્ષે બીજા ક્રમે પહોચી ગયો છે અને જો સ્કુલના પરિણામની વાત કરીએ તો ૩૦ ટકા કરતા ઓછુ પરિણામ હોય તેવી ૧૩ શાળા અને ઝીરો પરિણામ વળી જીલ્લામાં આ વર્ષે એક શાળા છે મોરબી જીલ્લામાં અધ્યત્ન શાળાઓ મોરબીમાં આવેલ છે જો કે, ધો. ૧૦ ના પરિણામાં આ શાળાઓને પાછળ રાખીને ટંકારા અને વાંકાનેર તાલુકાનાં કેન્દ્રનું પરિણામ ખુબજ શરૂ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે સિંધાવદર ૮૪.૩૦ ટકા, વિજા ક્રમે પીપળીયા રાજ ૮૪.૧૭ અને ત્રીજા ક્રમે ટંકારા ૮૨.૧૨ ટકા સાથે આવેલ છે






Latest News