મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી


SHARE











મોરબી જીલ્લાનું ધો.૧૦ નું પરિણામ ૭૩.૭૯ ટકા: એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને આ વર્ષે એ વન ગ્રેડમાં ૩૦૪ વિદ્યાર્થી પાસ થયા છે

આજે ધો.૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં વર્ષો ૨૦૨૧-૨૨ માટે નોંધાયેલા ધો ૧૦ ના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લાનું ચાલુ વર્ષનું પરિણામ ૭૩.૭૯ ટકા આવ્યું છે જેથી મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે અને જો વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ ઉપર નજર કરીએ તો આ વર્ષે એ-વન ગ્રેડમાં ૩૦૪, એ-ટુ ગ્રેડમાં ૧૨૨૬બી-વન ગ્રેડમાં ૧૭૭૦બી-ટુ ગ્રેડમાં ૨૧૨૮ વિદ્યાર્થી પાસ થયા છે અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં ધો ૧૦ ના પરિણામમાં વર્ષ ૨૦૨૦માં મોરબી જિલ્લો સાતમાં કર્મે હતો જે ચાલુ વર્ષે બીજા ક્રમે પહોચી ગયો છે અને જો સ્કુલના પરિણામની વાત કરીએ તો ૩૦ ટકા કરતા ઓછુ પરિણામ હોય તેવી ૧૩ શાળા અને ઝીરો પરિણામ વળી જીલ્લામાં આ વર્ષે એક શાળા છે મોરબી જીલ્લામાં અધ્યત્ન શાળાઓ મોરબીમાં આવેલ છે જો કે, ધો. ૧૦ ના પરિણામાં આ શાળાઓને પાછળ રાખીને ટંકારા અને વાંકાનેર તાલુકાનાં કેન્દ્રનું પરિણામ ખુબજ શરૂ આવેલ છે જેમાં પ્રથમ ક્રમે સિંધાવદર ૮૪.૩૦ ટકા, વિજા ક્રમે પીપળીયા રાજ ૮૪.૧૭ અને ત્રીજા ક્રમે ટંકારા ૮૨.૧૨ ટકા સાથે આવેલ છે






Latest News