મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદ નજીક થયેલ અકસ્માતમાં ઇજા પામેલા ટ્રાવેલ્સના ડ્રાઈવરનું સારવારમાં મોત


SHARE











હળવદ નજીક થયેલ અકસ્માતમાં ઇજા પામેલા ટ્રાવેલ્સના ડ્રાઈવરનું સારવારમાં મોત

(હરેશભાઈ પરમાર) હળવદના કવાડીયા પાસે બે દિવસ પેહલા ટ્રાવેલ્સ અને  ટ્રેલર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટ્રાવેલ્સના ડ્રાઈવર સહિત કુલ મળીને ૧૦ લોકોને ઇજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન હાલમાં ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત નીપજયું છે જેથી હળવદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કાવડિયા નજીક ટ્રાવેલ્સ અને  ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રાવેલ્સનો ડ્રાઈવર સહિત કુલ ૧૦ જેટલા લોકોને ઇજા થઈ હતી અને ટ્રાવેલ્સનો ડ્રાઈવર વાહનમાં ફસાઇ ગયો હતો જેથી તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા જો કે, ટ્રાવેલ્સના ડ્રાઈવર પ્રદીપભાઈ મૂજીભાઇ પરમાર (૫૯) રહે. વૃંદાવન પાર્ક ધ્રાંગધ્રા વાળનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી હળવદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી છે 






Latest News