મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા


SHARE







મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 12 કોમર્સના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે કંઝારિયા ભાવિક(દોશી હાઇસ્કુલ) 98.52, બીજા ક્રમે રત્નાણી ભાવિશા(સ.વ.પ) 98.40 અને ત્રીજા ક્રમે શેઠ વિશ્રુતિ(ડી.જે.પી.) 98.19 આવેલ છે.જયારે A1 માં 8 વિદ્યાર્થીઓ, A2 માં 7 વિદ્યાર્થીઓ, B1 માં 3 વિદ્યાર્થીઓ, B2 માં 2 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.તેમજ પરમાર પાર્થે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100, રાજકોટિયા હસ્તીએ અર્થશાસ્ત્રમાં 97, રત્નાણી ભાવીશાએ બીએમાં 96, ગોસ્વામી નીહાલગીરીએ નામામાં 94, શેઠ વિશ્રૃતિએ એસપીસીસીમાં  94, દલ અર્શિયાએ અંગ્રેજીમાં 84 અને જોષી પુજાએ ગુજરાતીમાં 84 માર્ક પ્રાપ્ત કરીને કલાસીસનું તેમજ તેમના પરીવારનું નામ રોશન કર્યુ હોય સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ ઉચ્ચ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 10 ના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે પંડિત ધાત્રી (શિશુમંદિર) 99.90 PR, બીજા ક્રમે રાધનપરા ભવ્ય (ઓમ શાંતી) 98.79 PR અને ત્રીજા ક્રમે જેઠવા કાવ્યા (શિશુમંદિર) 97.76 PR આવેલ છે.તેમજ A1 માં 11 વિદ્યાર્થીઓ તેમજ A2 માં 5 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.જયારે પંડિત ધાત્રીએ સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળ્યા હતા.






Latest News