ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા


SHARE













મોરબીના નવનિર્માણ કલાસીસના વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર અને સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 12 કોમર્સના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે કંઝારિયા ભાવિક(દોશી હાઇસ્કુલ) 98.52, બીજા ક્રમે રત્નાણી ભાવિશા(સ.વ.પ) 98.40 અને ત્રીજા ક્રમે શેઠ વિશ્રુતિ(ડી.જે.પી.) 98.19 આવેલ છે.જયારે A1 માં 8 વિદ્યાર્થીઓ, A2 માં 7 વિદ્યાર્થીઓ, B1 માં 3 વિદ્યાર્થીઓ, B2 માં 2 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.તેમજ પરમાર પાર્થે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100, રાજકોટિયા હસ્તીએ અર્થશાસ્ત્રમાં 97, રત્નાણી ભાવીશાએ બીએમાં 96, ગોસ્વામી નીહાલગીરીએ નામામાં 94, શેઠ વિશ્રૃતિએ એસપીસીસીમાં  94, દલ અર્શિયાએ અંગ્રેજીમાં 84 અને જોષી પુજાએ ગુજરાતીમાં 84 માર્ક પ્રાપ્ત કરીને કલાસીસનું તેમજ તેમના પરીવારનું નામ રોશન કર્યુ હોય સંચાલક મયુરભાઇ શુકલ તેમજ અલ્પેશભાઇ ગાંધીએ ઉચ્ચ સિધ્ધી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

નવનિર્માણ કલાસીસનું દર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં ધોરણ 10 ના પરિણામમાં અગ્રેસરતા છે.ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પહેલા ક્રમે પંડિત ધાત્રી (શિશુમંદિર) 99.90 PR, બીજા ક્રમે રાધનપરા ભવ્ય (ઓમ શાંતી) 98.79 PR અને ત્રીજા ક્રમે જેઠવા કાવ્યા (શિશુમંદિર) 97.76 PR આવેલ છે.તેમજ A1 માં 11 વિદ્યાર્થીઓ તેમજ A2 માં 5 વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે.જયારે પંડિત ધાત્રીએ સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળ્યા હતા.






Latest News