ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ


SHARE













મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ

રાજકોટના માજી કોર્પોરેટરની સાથે મોરબીના ભેજાબાજ ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ કરીને ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાથી રાજકોટના માજી કોર્પોરેટર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત છ સામે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ખોટા ખાતેદાર બનેલ મહિલા સહિતના ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ જમીન મકાન લેવેચનું કામ કરતાં અને રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં ’’ખોડીયાર કૃપા’’ ખાતે રહેતા રાજકોટના માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (૪૬)એ વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર)ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો)મનસુખભાઇ ધનજીભાઇ પરમારમુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે. બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતા.૧૭/૮/૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબી રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલ વૈજંતીબેન વાઘેલાની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી આ ગુનામાં પોલીસે હાલમાં ખોટા ખાતેદાર નયનાબેન પ્રવીણભાઈ ચાવડા જાતે સતવાર (૪૫) રહે. વજેપર શેરી નંબર-૮અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ (૩૦) રહે. ભગવતી હૉલ પાછળ મઘરની વાડી વાવડી રોડ મોરબી અને મનસુખભાઇ ધનજીભાઇ પરમાર (૪૪) રહે. બોની પાર્ક રવાપર વાળાની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News