મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ


SHARE











મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટટ સાથે કરવામાં છેતરપિંડીના ગુનામાં મહિલા સહિતના ત્રણની ધરપકડ

રાજકોટના માજી કોર્પોરેટરની સાથે મોરબીના ભેજાબાજ ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ કરીને ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાથી રાજકોટના માજી કોર્પોરેટર દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત છ સામે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ખોટા ખાતેદાર બનેલ મહિલા સહિતના ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ જમીન મકાન લેવેચનું કામ કરતાં અને રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં ’’ખોડીયાર કૃપા’’ ખાતે રહેતા રાજકોટના માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (૪૬)એ વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર)ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો)મનસુખભાઇ ધનજીભાઇ પરમારમુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે. બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતા.૧૭/૮/૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબી રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલ વૈજંતીબેન વાઘેલાની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી આ ગુનામાં પોલીસે હાલમાં ખોટા ખાતેદાર નયનાબેન પ્રવીણભાઈ ચાવડા જાતે સતવાર (૪૫) રહે. વજેપર શેરી નંબર-૮અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ (૩૦) રહે. ભગવતી હૉલ પાછળ મઘરની વાડી વાવડી રોડ મોરબી અને મનસુખભાઇ ધનજીભાઇ પરમાર (૪૪) રહે. બોની પાર્ક રવાપર વાળાની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News