મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ


SHARE

















ઝળહળતું પરિણામ: ધો.10ની પરીક્ષામાં મોરબીની નવયુગ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ

મોરબી પંથકમાં રિઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયનું તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો. 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વખતે પણ નવયુગ સ્કૂલના 14 વિદ્યાર્થીઓને ધો.10 માં એ-વન ગ્રેડ આવેલ છે

 તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધો.10 ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે જો કે, મોરબીમાં આવેલ નવયુગ વિદ્યાલયનું ધો.10નું પરિણામ 98.38 ટકા આવ્યું છે અને નવયુગ સ્કૂલના કુલ મળીને 14 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવેલ છે જેમાં નવયુગ વિદ્યાલયના ગૌસ્વામી વિધેશપુરીને 99.95 પીઆર, સંતોકી તરંગને 99.88 પીઆર, કોટક હરિકૃષ્ણને 99.88 પીઆર, કૈલા તન્વીને 99.88 પીઆર, સીણોજીયા હેનિલને 99.88 પીઆર, ભીમાણી વિશ્વાને 99.68 પીઆર, ભગદેવ પ્રિયાંશીને 99.54 પીઆર, જીવાણી જાનવીને 99.50 પીઆર, ત્રિવેદી પૂજાને 99.46 પીઆર, મેરજા દર્શીતાને 99.46 પીઆર, ગામી મંથનને 99.26 પીઆર, અમૃતિયા હેતને 99.21 પીઆર, વીરપરિયા ક્રિષ્નાને 99.09 પીઆર તેમજ ગઢિયા હેતને 98.79 પીઆર આવેલ છે જેથી એ-વન ગ્રેડ મેળનારા સહિતના તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવીને જીવનમાં વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી છે.




Latest News