લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મૂત્રમાર્ગ અને તેના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન


SHARE

















મૂત્રમાર્ગ અને તેના કેન્સરના નિષ્ણાંત તબીબ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

મૂત્રમાર્ગના કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : મો.નં. 9879603030 ઉપર રજિસ્ટ્રેશન ફરજીયાત 

રોબિટીક સર્જરીમાં માહેર ડો. રાજ પટેલ દ્વારા મોરબીમાં જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં શનિવારે બપોરે 4:30 થી 6:30વાગ્યે ઓપીડી કરાશે

મૂત્રમાર્ગ તથા તેના કેન્સરને લગતા રોગોના નિષ્ણાંત તબીબ આગામી તા.11ને શનિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.  

અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર સેન્ટર કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો. રાજ  પટેલ આગામી તા.11ને શનિવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે આવેલ બીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં સાંજે 4:30થી 6 :30 વાગ્યે ઓપીડી સેવા આપવાના છે. 

મૂત્રમાર્ગની ગાંઠ, કેન્સરના લક્ષણો, જેવા કે પેશાબમાં લોહી પડવું,  લાલ પેશાબ, પેશાબ થવામાં તકલીફ, પેશાબની ધાર નબળી-અટકીને આવવી, પેટમાં / પેડુમાં/ કમરમાં દુઃખાવો,  કિડની / મૂત્રાશય / પ્રોસ્ટેટની ગાંઠ, ગુપ્તાંગ પર ન રૂઝાતું ચાદું, શુક્રપીંડનો દુખાવા રહીત સોજો,  PSA વધારે આવવું વગેરે સમસ્યાથી પીડાતા દર્દીઓ આ ઓપીડીનો લાભ લઈ શકે છે. 

ડો.રાજ પટેલ -Ms, DNB (યુરોલોજી) ફેલોશીપ - યુરો ઓન્કોલોજી અને રોબોટીક સર્જન હાલમાં ઝાયડસ કેન્સર સેન્ટર સાથે કુલ ટાઇમ કસન્સટન્ટ - યુરોલોજિક ઓન્કો સર્જન તરીકે સંકળાયેલા છે. તે યુરોલોજિકલ કેન્સરના સંચાલનમાં વિશેષ રસ, તાલીમ અને અનુભવ ધરાવતા યુરોલોજિસ્ટ છે. તેઓ કિડની, યુરેટર, યુરિનરી બ્લેડર, પ્રોસ્ટેટ, ટેસ્ટિસ, પેનિસ અને એડ્રનલ ગ્રંથિના કેન્સરના વિવિધ રોગના નિષ્ણાંત છે. તેઓ યુરોલોજી અને યુરો-ઓન્કોલોજીના ક્ષેત્રમાં 7થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓએ 2000 જેટલી મુખ્ય યુરોલોજી સર્જરીઓ પણ કરી છે. તેઓએ દક્ષિણ ભારતના સૌથી પ્રબળ કેન્દ્રમાં પ્રખ્યાત યુરો- ઓન્કોલોજિસ્ટ ડો.રઘુનાથ એસ.કે.ના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે. 

તેઓ કેન્સર નિયંત્રણ ઉપરાંત કેન્સર સર્જરી પછી શ્રેષ્ઠ શક્ય કાર્યાત્મિક પરિણામ લાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. તેઓ વિવિધ કેન્સર જાગૃતિના કાર્યક્રમોમાં પણ સક્રિય છે. તેઓ યુરોલોજિકલ કેન્સર માટે રોબોટિક સર્જરી સહિત ન્યૂનતમ આક્રમક યુરોલોજિક સર્જરી કેન્સરની વહેલી અને ચોક્કસ તપાસ માટે MRI અને અટ્રાસાઉન્ડ-માર્ગદર્શિત પ્રોસ્ટેટ બાયોપ્સી, પ્રારંભિક કિડની કેન્સર માટે કિડની બચાવ શસ્ત્રક્રિયા તેમજ નિયોપ્લેડર સહિત જટિલ યુરોલોજીક્લ પુનઃનિર્માણમાં પારંગત છે. 

મૂત્રમાર્ગ કે તેના કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર સેન્ટરના નિષ્ણાંત તબીબો મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9879603030 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.




Latest News