મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોજાશે જિંગલ પ્રતિયોગિતા
મોરબીની શૈક્ષણિક સંસ્થાએ ધો. ૧થી ૩ માં અંગ્રેજી લાવવાના નિર્ણય મુદે શિક્ષણમંત્રીને કરાઇ રજૂઆત
SHARE









મોરબીની શૈક્ષણિક સંસ્થાએ ધો. ૧થી ૩ માં અંગ્રેજી લાવવાના નિર્ણય મુદે શિક્ષણમંત્રીને કરાઇ રજૂઆત
મોરબી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન મોરબીના ટ્રસ્ટી અને સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના નિયામક દ્વારા કલેક્ટર મારફતે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપીને ધો. ૧ થી ૩ માં અંગ્રેજી લાવવા માટે જે નિર્ણય કરવામાં આવેલ છે તેના માટે ફેર વિચારણા કરવાની રજૂઆત કરવામાં આવી છે તેમાં લખ્યું છે કે, પ્રાચીન ભારતનો ઇતિહાસ વૈભવ અને ગૌરવપૂર્ણ રહ્યો છે પ્રાચીન સમયમાં શિક્ષણનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતનું હતું. જ્ઞાન પ્રાપ્તિ માટે વિશ્વના વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાપીઠોમાં સંસ્કૃત ભાષાનાં માધ્યમથી બધા જ વિષયોનું અધ્યયન કરતાં હતા અનેક વિધર્મી આક્રમણો વચ્ચે ભારત અડીખમ રહ્યું અને આર્થિક લૂંટ, હત્યાઓ, અત્યાયારો, ધાર્મિક સ્થાનો પર કુઠરાધાત વચ્ચે પણ ભારત ભારતની સંસ્કૃતિ, સંસ્કારો, ખાન-પાન, રીત-રિવાજો, ભાષા, જીવનશૈલી અન્ન રહ્યા છે આપણાં ઉપર અંતિમ શાસન કરનાર અંગ્રેજોએ આ બધુ જોઈ આપણને બદલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા બદલી હતી અને માલીકોના બદલે નોકર (નોકરી) ની પ્રતિષ્ઠા વધી અંગ્રેજી ભાષાને મહત્વ આપીને આપણને હિનતાબોધ કરાવવાનો પ્રયત્ન ચાલે છે હાલમાં ગુજરાત સરકારે ધોરણ એક તથા બે માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ ત્રણથી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે તેવો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ માનીને શા માટે દુર્ભાગ્યપૂર્ણ છે તેની વિસ્તુત રજૂઆત કરવામાં આવી છે અને શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક તથ્યો આપીને આ નિર્ણય માટે ફેર વિચારણા કરવાની માંગ કરવામાં આવી છે આ તકે મોરબી શ્રી સરસ્વતી શિશુમંદિરની વ્યવસ્થાપક ટીમ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઇ બોપલીયા, જયંતિભાઈ રાજકોટિયા સહિતના હાજર રહ્યા હતા
