મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ


SHARE







મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી શહેર અને જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને મુસ્લિમ સમાજના મોહમ્મદ પયગંબર વિશે ટીવી ડિબેટમા ભાજપના નૂપુર શર્માએ અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટિપ્પણી કરી હતી અને સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે જેને ધ્યાને રાખી મોરબી દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ધર્મની રાજનીતિમા હિન્દુ-મુસ્લિમ સમાજની એકતામાં દરાર પડે તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહયા છે ત્યારે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમા એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા તેવા પ્રયાસો કરવાની જરૂર છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અશ્વિનભાઈ ટુંડિયા, ડુંગરભાઇ ટુંડિયા, આરીફભાઈ બ્લોચ, મુસાભાઇ ચાનીયા, ઈદ્રીશભાઈ બ્લોચ, ફારૂક શાહમદાર, ઈકબાલ ચાનીયા શકીલભાઈ શેખ, રીયાજ અન્સારી અને દિપકભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા






Latest News