મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત


SHARE











મોરબીથી રાજસ્થાનના રણુજા ફરવા માટે જતાં યુવાનનું માર્ગ અક્સમાત્મમાં મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતો યુવાન તેના કૌટુંબિક સાથે એકટીવામાં બેસીને રાજકોટ થઈને રાજસ્થાનમાં આવેલ જૂના રણુજા ફરવા માટે જતો હતો ત્યારે રસ્તામાં લજાઈ ચોકડી પાસે હોટલ નજીક એકટીવા સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને પાછળ બેઠેલ યુવાનનું માથામાં ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું અને વાહન ચાલકને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના દીકરાએ એક્ટિવા ચાલકની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડીથી આગળના ભાગમાં જઈ રહેલ એકટીવા નંબર જીજે ૩૬ એએ ૨૦૨૮ ના ચાલક ધનજીભાઈ મગનભાઈ મકવાણા રહે. લીલાપર રોડ નીલકમલ સોસાયટી વાળાના એક્ટિવામાં પાછળના ભાગમાં બેસીને દિનેશભાઈ અરજણભાઈ પરમાર (૪૮) રહે. નીલકમલ સોસાયટી વાળા જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા સ્લીપ થઈ જવાના કારણે દિનેશભાઇ પરમારને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક્ટિવા ચાલક ધનજીભાઈ મકવાણાને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં મૃતક દિનેશભાઈના દિકરા ચેતનભાઇ દિનેશભાઇ પરમાર (૨૫) રહે. નીલકમલ સોસાયટી વાળાએ એક્ટિવા ચાલક ધનજીભાઈ મકવાણાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે દિનેશભાઈ અરજણભાઈ પરમાર અને ધનજીભાઈ મગનભાઈ મકવાણા મોરબીથી એકટીવા લઈને રાજકોટ તરફ જતા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે તેઓ રાજસ્થાનમાં આવેલ જુના રણુજા મંદિરે દર્શન કરવા માટે અને ફરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં દિનેશભાઇ પરમારનું મૃત્યુ નિપજયું છે અને અકસ્માતના આ બનાવના કારણે ચાર સંતાનોએ છત્રછાયા ગુમાવી છે






Latest News