મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે વાડીએથી ૯૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE











હળવદના ડુંગરપુર ગામે વાડીએથી ૯૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદના ડુંગરપુર ગામે વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૯૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે ૨૬૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને બે શખ્સના નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપુર ગામે વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ડુંગરપુર સીમમાં દારૂને રેડ કરી હતી ત્યારે જુદીજુદી બ્રાન્ડની દારૂની ૯૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી સિધ્ધરાજ ધીરુભાઈને પકડીને ૨૬૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસની તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી સિધ્ધરાજભાઈ ધીરુભાઈ ચૌહાણ રહે. માથક, પીન્ટુભાઇ અશોકભાઈ બોરણીયા રહે. માથક અને ધીરુભાઈ નાગજીભાઈ ચૌહાણ રહે. માથક વાળા ઉધડમાં જમીન રાખી ખેતી કરતા અને તે વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હતો જેથી પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને બે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

હળવદના અજીતગઢ ગામે દીપુભાઇની વાડીએ રહીને ખેત મજૂરી કરતા પરીવારના ચંપાબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૫ વર્ષીય મહિલાએ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ગાંધીધામ જી.કચ્છ(ભુજ) ના વતની દિલીપભાઈ ગીરધરલાલ ચૌધરી નામના ૩૦ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમા ઇજા

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં સાંઈબાબાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં મધુબેન રવીનભાઈ ડાભી નામના ૪૮ વર્ષીય મહિલાને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મકનસર ગામ પાસે આવેલ કમાન્ડર વિટ્રીફાઈડમાં ઝેરી જનાવર કરડી જતા વિજયભાઈ ભૂરીયા નામના ૨૩ વર્ષીય યુવાનને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News