મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી કેવી રીતે કરી શકાય ?


SHARE

















ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી કેવી રીતે કરી શકાય ?

આજના યુગમાં પિતા અને બાળકો વચ્ચે સંવાદ વધી રહ્યો છે અને મિત્રતાભર્યા સંબંધોમાં તે પરિવર્તિત થઇ રહ્યો છે. જો કે, કયાંકને કયાંક મર્યાદાનો બંધ તૂટી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. પિતા પહેલા પણ તેના સંતાનો માટે મિત્ર, સલાહકાર અને ગુરૂ હતા અને આજે પણ છે પરંતુ આધુનિક યુગમાં સંતાનોને પાપા પગલીથી લઈને પગભર કરવા સુધીની તમામ જવાબદારીઓને બખૂબી નિભાવનારા પિતાને સમજી શકતા નથી. ત્યારે આજે ફાધર્સ ડે નિમિતે ઘણા બધા યુવાનો અવનવી રીતે તેની ઉજવણી કરશે જો કે, આજથી પિતાને સમજવાનો સંકલ્પ કરશો તે તે ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી હશે

ગુજરાતીમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે અને કહેવાયું છે.  પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે.  એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય નથી. જીવનમાં ડગલે અને પગલે ભણેલ હોય કે અભણ, ધનિક હોય કે નિર્ધન, સુખી હોય કે દુખી કોઈ પણ સ્થિતિમાં સંતાનોની જરૂરિયાતને પૂરી કરવા માટે કોઈ કસર ન છોડે તે પિતા. ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી માતા સંતાનોની વધુ નજીક હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, સંતાનો સહિત પરિવારના હિત માટે આર્થિક ઉપાર્જન સાહિતની જવાબદારીને પૂરી કરવા માટે પિતા ઘરની બાહર હોય છે જો કે,બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માતાને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે તેનાથી વધુ તેના પિતા માટે હોય છે કેમ કે, તેની માંગ્યા વગરની માંગણીઓ પણ પુરી કરવાની ક્ષમતા ભગવાને પિતાને આપેલ છે જેથી કરીને સંતાનો માટે તેના પિતા સુપર હીરો પણ કહેવામા આવે છે કોઈપણ બાળકને તેની માતા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. તો પિતા એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. કેમ કે, કોઈપણ પિતા તેનાં સંતાનોને પોતાના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે. ત્યારે દરેક સંતાન વર્તમાન સમયમાં પોતનીય આજુબાજુ અને સોશ્યલ મીડિયાના દરિયામાંથી ઘણું બધુ શીખવાનો પ્રયન્ત કરે છે તે સારી જ બાબત છે જો કે, તેના પિતાની પાઠશાળાના પાઠને જો સંતાનો જીવનમાં કંઠસ્થ કરવાની શરૂઆત કરશે તો અનુભવની શાળા કહી શકાય તેવા દરેક પિતા તેના સંતાનો માટે પથદર્શક પણ બની રહેશે




Latest News