ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી કેવી રીતે કરી શકાય ?


SHARE













ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી કેવી રીતે કરી શકાય ?

આજના યુગમાં પિતા અને બાળકો વચ્ચે સંવાદ વધી રહ્યો છે અને મિત્રતાભર્યા સંબંધોમાં તે પરિવર્તિત થઇ રહ્યો છે. જો કે, કયાંકને કયાંક મર્યાદાનો બંધ તૂટી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. પિતા પહેલા પણ તેના સંતાનો માટે મિત્ર, સલાહકાર અને ગુરૂ હતા અને આજે પણ છે પરંતુ આધુનિક યુગમાં સંતાનોને પાપા પગલીથી લઈને પગભર કરવા સુધીની તમામ જવાબદારીઓને બખૂબી નિભાવનારા પિતાને સમજી શકતા નથી. ત્યારે આજે ફાધર્સ ડે નિમિતે ઘણા બધા યુવાનો અવનવી રીતે તેની ઉજવણી કરશે જો કે, આજથી પિતાને સમજવાનો સંકલ્પ કરશો તે તે ફાધર્સ ડે ની સાચી અને સાર્થક ઉજવણી હશે

ગુજરાતીમાં અને સાહિત્યમાં મા, બહેન અને ભાઇ વિષે ઘણું બધું લખાયું છે અને કહેવાયું છે.  પણ પિતા વિષે બહુ આોછું લખાયું છે.  એનો અર્થ એવો નથી કે પિતાનું મૂલ્ય નથી. જીવનમાં ડગલે અને પગલે ભણેલ હોય કે અભણ, ધનિક હોય કે નિર્ધન, સુખી હોય કે દુખી કોઈ પણ સ્થિતિમાં સંતાનોની જરૂરિયાતને પૂરી કરવા માટે કોઈ કસર ન છોડે તે પિતા. ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતી માતા સંતાનોની વધુ નજીક હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, સંતાનો સહિત પરિવારના હિત માટે આર્થિક ઉપાર્જન સાહિતની જવાબદારીને પૂરી કરવા માટે પિતા ઘરની બાહર હોય છે જો કે,બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ. હા, વાસ્તવમાં માતાને સંતાન માટે જેટલાં પ્રેમ, મમતા અને લાગણી હોય છે તેનાથી વધુ તેના પિતા માટે હોય છે કેમ કે, તેની માંગ્યા વગરની માંગણીઓ પણ પુરી કરવાની ક્ષમતા ભગવાને પિતાને આપેલ છે જેથી કરીને સંતાનો માટે તેના પિતા સુપર હીરો પણ કહેવામા આવે છે કોઈપણ બાળકને તેની માતા જીવન જીવવાનો મંત્ર આપતી રહે છે. તો પિતા એ જીવનને સફળ બનાવવાના પાઠ શીખવતો રહે છે. કેમ કે, કોઈપણ પિતા તેનાં સંતાનોને પોતાના કરતાં સવાયા બનાવવા હંમેશ ઝંખે છે. ત્યારે દરેક સંતાન વર્તમાન સમયમાં પોતનીય આજુબાજુ અને સોશ્યલ મીડિયાના દરિયામાંથી ઘણું બધુ શીખવાનો પ્રયન્ત કરે છે તે સારી જ બાબત છે જો કે, તેના પિતાની પાઠશાળાના પાઠને જો સંતાનો જીવનમાં કંઠસ્થ કરવાની શરૂઆત કરશે તો અનુભવની શાળા કહી શકાય તેવા દરેક પિતા તેના સંતાનો માટે પથદર્શક પણ બની રહેશે






Latest News