ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત


SHARE













મોરબીમાં સસરાને મૂકીને પરત ઘરે જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના સુરવદર ગામ પાસે ગત મોડીરાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ગંભીરપણે ઘવાયેલા આદીવાસી યુવાનને સારવાર માટે જેતપર લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતો હતો તે દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના સુરવદર ગામ પાસે ગઈકાલે બાઇકનો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઇજાઓ થવાથી માકડીયાભાઈ વેરશીભાઈ રાઠવા (ઉમર ૩૦) રહે. ઘાંટીલા(જેતપર) તા.જી.મોરબી વાળાને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે ૧૦૮ વડે મોરબી લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ માકડીયાભાઇ રાઠવા નામના આદીવાસી યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તેમાં ખૂલ્યું હતું કે મૃતક માકડીયાભાઈ રાઠવા પોતાના સસરાને મુકવા માટે હળવદના દેવળિયા ગામ ગયા હતા અને દેવળીયા હામે સસરાને મુકીને તેઓ ત્યાંથી પરત બાઇક લઇને ઘાંટીલા જતા હતા ત્યારે રસ્તામાં હળવદના સુરવદર ગામ પાસે સર્જાયેલા બાઇકના વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને લીધે તેઓનું મોત નીપજ્યું હતું.

ઇજા થતા યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો જીગ્નેશ ચંદ્રકાંતભાઈ જયસ્વાલ નામનો ૩૩ વર્ષીય યુવાન દુકાનેથી ધંધાની ફેરી કરવા માટે લારી લઇને ત્રાજપર ચોકડી પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં તેને લારી પગના ભાગે લાગી જતા ઈજાઓ પહોંચી હોવાથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતા અલ્કાબેન મહેશભાઈ સરવૈયા નામની ૨૦ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં બાઇકમાંથી નિચે પડી જતાં તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમા ઇજા

મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક નજીકના આનંદનગર વિસ્તારમાં રહેતા જય રામાભાઈ મકવાણા જાતે રાવળદેવ નામના ૨૭ વર્ષીય યુવાનને ત્યાં જ રહેતા હાર્દિક ચના મકવાણા નામના ઈસમે નજીવી બાબતે ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને જય મકવાણાને સારવારમાં ખસેડાયો હતો બાદમાં તેણે બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News