મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરતાં ભાજપના મોટા ગજાના નેતાઓ સામે સી.આર. પાટીલ કાર્યવાહી કરે તેવી જીતુભાઈ સોમાણી માંગ


SHARE







મોરબીમાં જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરતાં ભાજપના મોટા ગજાના નેતાઓ સામે સી.આર. પાટીલ કાર્યવાહી કરે તેવી જીતુભાઈ સોમાણી માંગ

મોરબી જીલ્લાનું વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ કરવાના પ્રયત્નો સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલ છે તેની સાથોસાથ ભાજપના આગેવાનો દ્વારા મોરબીની અંદર જમીન કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યા છે તેની પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી અને લાગણી વ્યક્ત કરે છે.

મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકા માં છેલ્લે યોજાયેલી ચૂંટણી બાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીથી ભાજપની અંદર આંતરિક વિખવાદ અને વિવાદો શરુ થઇ ગયા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો જે તે સમયે ચૂંટાયેલા સભ્યો દ્વારા એક જ વ્યક્તિનું નામ પ્રમુખ માટે મૂકવામાં આવ્યું હતું પરંતુ તે નામ ભાજપના પ્રમુખ અને સાંસદ મોહનભાઇ કુંડારીયાને ખુંચતુ હોવાથી તેની સામે ઉમેદવારોને ઉભા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમજ આર્થિક પ્રલોભન પણ આપવામાં આવ્યા હતા તેવુ જે તે વખતે ભાજપના આગેવાન અને વાંકાનેર બેઠક ઉપરથી અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા જીતુભાઈ સોમાણી દ્વારા કહેવામાં આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકામાં ભાજપના જ ચૂંટાયેલા સભ્યો દ્વારા ભાજપની સામે બળવો કરીને જે તે સમયે પ્રમુખ અને ઉપપ્રમુખ પસંદગી કરવામાં આવી હતી માટે હાલમાં આ નગરપાલિકાને સુપરસીડ કરવા માટેનો કારસો રચવામાં આવેલ છે.

જેમાં ખાસ કરીને મોહનભાઇ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ રસ લેતા હોવાનો પણ આક્ષેપ જીતુભાઇ કરેલ છે અને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને અને લોહાણા સમાજને નુકશાન થાય તેવી કામગીરી ભાજપના મોટા ગજાના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા મોરબી શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામથી માંડીને કૌભાંડો કરવામાં આવી રહ્યા છે તે મુદે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે.આજની તારીખે વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો વાંકાનેર નગર પાલિકામાં કુલ મળીને ૨૮ બેઠકો છે જે પૈકીની ૨૪ બેઠકો પર ભાજપ અને ચાર બેઠક ઉપર ભાજપના સમર્થનથી બસપાના ઉમેદવાર ચૂંટાયા હતા અને હાલમાં ભાજપની જ આ નગરપાલિકા જે હતી તે ભાજપના સ્થાનિક આગેવાનોના આંતરિક વિખવાદ અને વિવાદો અને ભાજપના નેતાઓની આડોડાઈને કારણે વિવાદનું ઘર બની ગયેલ છે.






Latest News