સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત


SHARE

















મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલમાં હાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરીને મોરબી જીલ્લામાં આવતી માળિયાધ્રાંગધ્રા  અને મોરબી બ્રાંચમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં નર્મદા યોજનાની ત્રણ બ્રાંચ કેનાલ આવેલ છે. જેમાં માળિયાધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચનો સમાવેશ થાય છે. હાલમાં ખેડૂતો આગોતરા વાવેતર કરવા માટે ઘણા સમયથી પાણી માગી રહ્યા છે. અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયામોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજપૂર્વ મંત્રી જયંતીભાઈ કાવડિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પણ પાણી આપવા વિનતી કરેલ છે

અમુક વિસ્તારના લોકો આ માટે અંદોલન પણ કરી રહ્યા છે. અને આ પૂર્વે ૨૦૧૩ માં સરકાર દ્વારા હાલના ડેમના ૧૧૯ મી.  લેવલ કરતા પણ નીચું લેવલ ૯૩ મી. હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ હતું જે સરકારના રેકોર્ડમાં હશે અને અગામી ચોમાસું સારું જવાની આગાહીઓ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો પણ ખેડૂતોને કેનાલ મારફતે પાણી કેમ આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં નર્મદા ડેમ ભરેલ છે અને તે પાણી ખેડૂતોને નહીં આપવામાં આવે અને પછી વરસાદનું પાણી આવશે તે દરિયામાં વહી જશે જેથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News