ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલમાં હાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરીને મોરબી જીલ્લામાં આવતી માળિયાધ્રાંગધ્રા  અને મોરબી બ્રાંચમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં નર્મદા યોજનાની ત્રણ બ્રાંચ કેનાલ આવેલ છે. જેમાં માળિયાધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચનો સમાવેશ થાય છે. હાલમાં ખેડૂતો આગોતરા વાવેતર કરવા માટે ઘણા સમયથી પાણી માગી રહ્યા છે. અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયામોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજપૂર્વ મંત્રી જયંતીભાઈ કાવડિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પણ પાણી આપવા વિનતી કરેલ છે

અમુક વિસ્તારના લોકો આ માટે અંદોલન પણ કરી રહ્યા છે. અને આ પૂર્વે ૨૦૧૩ માં સરકાર દ્વારા હાલના ડેમના ૧૧૯ મી.  લેવલ કરતા પણ નીચું લેવલ ૯૩ મી. હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ હતું જે સરકારના રેકોર્ડમાં હશે અને અગામી ચોમાસું સારું જવાની આગાહીઓ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો પણ ખેડૂતોને કેનાલ મારફતે પાણી કેમ આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં નર્મદા ડેમ ભરેલ છે અને તે પાણી ખેડૂતોને નહીં આપવામાં આવે અને પછી વરસાદનું પાણી આવશે તે દરિયામાં વહી જશે જેથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News