મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ


SHARE







વાંકાનેરની ડબલ ચાલીમાં પરિણીતાને આપઘાત કરવા મજબૂર કર્યાની પતિ-સાસુ સામે ફરિયાદ

વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતકના પિતાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને મૃતક પરિણીતાના પતિ અને સાસુની સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રાગંધ્રામાં કામદાર સંધ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણી જાતે મીયાણા મુસ્લીમ (૬૦)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હમીદભાઇ હબીબભાઇ મોવર અને હસીનાબેન હબીબભાઇ મોવર રહે. બંને વાંકાનેર વીશીપરા મચ્છુ નદી કાઠે ડબલચાલી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી રોશનબેન (ઉંમર ૨૨)ના ચાર મહિના પહેલા જ હમિદભાઈની સાથે લગ્ન થયા હતા અને તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને તેને આપઘાત કરી લીધો હતો છેલ્લા ચાર માસના દાંમ્પત્ય જીવનમાં આરોપીઓએ ઘરકામ બાબતે ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી મેણાટોણા મારી માનશીક અને શારીરીક દુ:ખત્રાસ આપ્યો હતો અને તેના સાસુએ તેણીના પતીને ચડામણી કરીને માર ખવડાવીને ત્રાસ આપ્યો હતો જેથી કરીને કંટાળી જઈને તેની દીકરીએ પોતાનો રૂમ અંદરથી બંધ કરી ચુંદડી વડે ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો હાલમાં આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે






Latest News