વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી ૧.૧૮ લાખથી વધુની કિંમતના મેંદાના ૮૫ કટાની ચોરી


SHARE

















મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી ૧.૧૮ લાખથી વધુની કિંમતના મેંદાના ૮૫ કટાની ચોરી

મોરબી નજીક નાનીવાવડી ગામ પાસે આવેલ માધવ ગૌશાળા પાછળના ભાગમાં કારખાના તાળાં તોડીને તેમાંથી મેંદાના ૮૫ કટા (ગુણી) ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧,૧૮,૧૫૦ રૂપિયાની કિંમતના માલની ચોરી થઇ હોવા અંગેની અજાણ્યા શખ્સની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બેલા આમરણ ગામે રહેતા ઋત્વિકભાઈ દિનેશભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી નજીક નાની વાવડી ગામે માધવ ગૌશાળાની પાછળના ભાગમાં સંકેત ફૂડ પ્રોડક નામનું તેનું કારખાનું આવેલ છે આ કારખાનામાં તા.૨૨-૬ ના રાત્રીના ૧૦ થી લઈને બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે કારખાના દરવાજાનાં તાળાં તોડીને કારખાનામાં પ્રવેશ કરીને તસ્કર દ્વારા નોબલ કંપનીનો મેંદાનો એક ગુણીમાં ૫૦ કિલો લોટ એવ ૮૫ કટાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તસ્કર રૂા.૧,૧૮,૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આરોપીને શોધવા માટેની તજવીજ શરૂ કરી છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાછળ આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા ખુશીબેન દિનેશભાઈ શ્રીમાળી નામની ૨૦ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ફિનાઇલ પી ગઈ હતી જેથી કરીને તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર પાટીદાર ટાઉનશીપ પાસે વાહન અકસ્માતનો બનાવો સર્જાયો હતો જેમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીના રહેવાસી લાભશંકરભાઈ રામજીભાઈ દાદલને ઇજાઓ પહોંચી હોય તેઓને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ બાઇક લઇને જતા હતા ત્યારે કોઈ વાહન ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.




Latest News