ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક સરતાનપર ચોકડીએ આંચકી ઉપડતાં યુવાનનું મોત


SHARE













મોરબી નજીક સરતાનપર ચોકડીએ આંચકી ઉપડતાં યુવાનનું મોત

મોરબી નજીક આવેલ સરતાનપર ચોકડી પાસે મૂળ ઓરિસ્સાના રહેવાસી યુવાનને આંચકી ઉપડી હતી જેથી કરીને તેને સારવાર માટે લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે મૂળ ઓરિસ્સાના મયુરભૂંજના રહેવાસી સબનકુમાર પુર્ણાચંદ મુર્મુ મોરબીની સરતાનપર ચોકડી પાસે હતા ત્યારે તેને આંચકી ઉપડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના લાલપર ગામ પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.હાલ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના માનસર ગામના વતની પ્રવિણભાઇ પરસોતમભાઈ મેઘાણી નામનો ૨૫ વર્ષીય યુવાન બાઈક લઈને આંદરણા ગામ પાસેથી જતો હતો ત્યાં ગૌશાળા નજીકથી તેના બાઇકની આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલી જૂની રેલ્વે કોલોનીમાં રહેતો જય મુકેશભાઈ સિંચણાદા નામનો ૧૦ વર્ષીય બાળક પોતાની સોસાયટી વિસ્તાર પાસે સાયકલ લઇને રમી રહ્યો હતો ત્યારે તે તેની સાયકલમાંથી નિચે પડી જતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રહેવાસી નંદકિશોરભાઈ ચંદુલાલ જોશી નામના ૫૨ વર્ષીય આધેડ શહેરના શનાળા રોડ સરદાર બાગ પાસે પડી જતા તેઓને પણ ઈજાઓ થતા તેમને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News