ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામે દુકાનદારના પૈસા ઝુંટવીને ભાગેલા બે તસ્કરોને લોકોએ આપ્યો મેથીપાક


SHARE













હળવદના સુંદરગઢ ગામે દુકાનદારના પૈસા ઝુંટવીને ભાગેલા બે તસ્કરોને લોકોએ આપ્યો મેથીપાક

મોરબી જિલ્લાને છેલ્લા ઘણા સમયથી તસ્કરો અને લુંટારૂઓ ઘમરોળી રહ્યા છે.તેમ કહીએ તેઓ અતીશ્યોકિત નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી હળવદ પંથકમાં અનેક નાની-મોટી ચોરીઓના બનાવ બન્યા છે તે રીતે મોરબીમાંથી પણ ચીલઝડપ, ચોરી, લુંટ સહિતના ગંભીર બનાવો બન્યા છે.હળવદ પંથકમાં થયેલ મોટાભાગની ચોરીઓ હજુ પણ અનડીટેકટ છે તેમજ ચોરીના વધતા બનાવોથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા દુકાનદારને ત્યાં બે સરદારજી જેવા ઇસમો બાઈકમાં આવ્યા હતા અને કરિયાણાની દુકાને બેઠેલા દુકાનદારના હાથમાં રહેલ રૂપીયા એક હજાર ઝુંટવીને ભાગ્યા હતા અને આ અંગે ગામમાં દેકારો થતા અને ગામના લોકો પાછળ બંને તસ્કરોની પાછળ પડ્યા હતા અને આગળના ગામ એવા માથક ગામે બનાવની જાણ કરી દીધી હતી જેથી માથક ગામના લોકો પણ વોચમાં હતા અને બાઇકમાં ભાગેલા બેંને ઈસમોનું બાઈક સ્લીપ થઈ જતાં બંને પડી ગયા હતા અને બાદમાં લોકોએ બંનેને પકડીને મેથીપાક આપીને હળવદ પોલીસને આ અંગે જાણ કરી હતી જોકે આ અંગે હાલમાં લૂંટ-ચોરી કે ચીલઝડપ અંગેનો કોઈ ગુનો હળવદ પોલીસ ચોપડે નોંધાયો નથી તે નરી વાસ્તવિકતા છે..! જો આ રીતે દરેક બનાવોને દબાવવામાં આવતા હોય તો ક્રાઇમ રેટ ઓછો જ બતાયને અને માટે જ રાજ્યના ગૃહમંત્રી તેમના નિવેદનમાં જણાવે છે કે ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે..! પણ ખરી વાસ્તવિકતા શું છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.






Latest News