ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હદ કરી તંત્રએ: વાંકાનેરમાં આજે જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં યોજાનાર મહાસંમેલનની મંજૂરી છેલ્લી ઘડીએ રદ્દ


SHARE













હદ કરી તંત્રએ: વાંકાનેરમાં આજે જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં યોજાનાર મહાસંમેલનની મંજૂરી છેલ્લી ઘડીએ રદ્દ

રાજકીય નીચતાની પરાકાષ્ઠાનુ પ્રદર્શન કરતા લોહાણા સમાજના વિરોધીઓએ વાંકાનેરમાં આજે જીતુભાઈ સોમાણી દ્વારા મહાસંમેલન યોજવાની જાહેરાત કરી હતી અને તેના માટે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડની મંજુરી મળેલ હતી જે છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા રદ કરી છે અને મહાસંમેલન રદ કરાવવા રાજકીય  નિષ્ફળ કાવાદાવા કરવામાં આવેલ છે જો કે, આજની તારીખે જ વાંકાનેરમાં જીતુભાઈ અને પાલિકા પ્રમુખના સમર્થનમાં મહાસંમેલન યોજાશે તે નિશ્ચિત છે અને તેના સ્થળમા ફેરફાર કરાયો છે અને આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓને વાંકાનેર ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ સહીતની સંસ્થાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે

લોહાણા મહિલા અગ્રણી શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકાને સુપરસીડ કરી રઘુવંશી સમાજનુ રાજકીય પતન કરવાનો કારસો પક્ષના જ અમુક નેતાઓ દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે ત્યારે રઘુવંશી સમાજને થતા અન્યાયના વિરોધમા લોહાણા સમાજ અને ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલના સમર્થનમા તા.૨૬-૬ ને  રવિવાર સાંજે ૭:૩૦ કલાકે મહાસંમેલનનું વાંકાનેરમાં આયોજન કરવામાં આવ્યું છે તે સંમેલન માટે વાંકાનેર પાલીકાના ગ્રાઉન્ડની પૂર્વ મંજુરી મળી ગયેલ હતી પરંતુ લોહાણા સમાજના રાજકીય વિરોધીઓના પેટમા તેલ રેડાતા સતાનો દુરઉપયોગ કરી તંત્રને પોતાની કટપુતડી બનાવી છેલ્લી ઘડીએ મંજુરી રદ કરાવી સંમેલન રદ કરાવવાની નિષ્ફળ ચેષ્ઠા કરી છે પરંતુ મહાસંમેલન આજે જ યોજાશે અને જીતુભાઈ સોમાણી તથા સમસ્ત લોહાણા સમાજની તાકાત જોઈ હાર ભાળી ગયેલ વિરોધીઓને પાઠ ભણાવવામાં આવશે તેવું પણ કહેવામા આવ્યું છે અને આજે સાંજે આ મહાસંમેલન કિરણ સિરામીક, નિર્મલા સ્કુલથી આગળ, જડેશ્વર રોડ વાંકાનેર ખાતે યોજાશે વાંકાનેરના જીતુભાઈ સોમાણી સહીતના સમગ્ર રઘુવંશી સમાજનુ રાજકીય પતન ઈચ્છતા વિરોધીઓને પરચો બતાવવા ગામેગામથી સમસ્ત લોહાણા સમાજને વાંકાનેર ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ સહીતની સંસ્થાઓએ આહવાન કર્યુ છે






Latest News