મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત


SHARE









વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત

મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ગઈકાલે જીતુભાઈ સોમાણી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલન પૂરું થયા બાદ ત્યાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો દરમિયાન મોરબી થી આ સંમેલનમાં ગયેલા લોકો પરત આવવા માટે રસ્તા ઉપર ઊભા હતા ત્યારે ત્યાં રસ્તા ઉપર વરસો જૂનો પીપળો તૂટી પડયો હતો અને તેની નીચે દટાઈ જવાથી મોરબીના વૃધ્ધને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને કેટલીક જગ્યાએ હોર્ડિંગ તૂટી ગયા હતા તો કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા આવી ઘટના ગઈકાલે મોડી સાંજના સમયે વાંકાનેરમાં પણ બની હતી વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વજ્ઞાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ મોરબી શહેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે મોરબીથી આ સંમેલનમાં ગયેલા સનાળા રોડ શિવા પેલેસમાં રહેતા જગદીશભાઇ ડાયાભાઈ કોટક (ઉમર વર્ષ 62) ની ઉપર વરસો જૂનો પીપળો રાતીદેવડી રોડે તૂટી પડ્યો હતો જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા જગદીશભાઈ ડાયાભાઈ કોટકનું મોત થયુ છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News