મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત


SHARE











વાંકાનેરમાં યોજાયેલ મહાસંમેલનમાં ગયેલા વૃદ્ધ ઉપર ઝાડ તૂટી પડતાં ઇજા પામેલા મોરબીના વૃધ્ધનું મોત

મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ગઈકાલે જીતુભાઈ સોમાણી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંમેલન પૂરું થયા બાદ ત્યાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો દરમિયાન મોરબી થી આ સંમેલનમાં ગયેલા લોકો પરત આવવા માટે રસ્તા ઉપર ઊભા હતા ત્યારે ત્યાં રસ્તા ઉપર વરસો જૂનો પીપળો તૂટી પડયો હતો અને તેની નીચે દટાઈ જવાથી મોરબીના વૃધ્ધને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મોડી સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને કેટલીક જગ્યાએ હોર્ડિંગ તૂટી ગયા હતા તો કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા આવી ઘટના ગઈકાલે મોડી સાંજના સમયે વાંકાનેરમાં પણ બની હતી વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વજ્ઞાતિ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ મોરબી શહેર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્યારે મોરબીથી આ સંમેલનમાં ગયેલા સનાળા રોડ શિવા પેલેસમાં રહેતા જગદીશભાઇ ડાયાભાઈ કોટક (ઉમર વર્ષ 62) ની ઉપર વરસો જૂનો પીપળો રાતીદેવડી રોડે તૂટી પડ્યો હતો જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા જગદીશભાઈ ડાયાભાઈ કોટકનું મોત થયુ છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News