મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપુર ગામે ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત


SHARE











ટંકારાના કલ્યાણપુર ગામે ગળાફાંસો ખાઇને યુવાને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા ગૌરવ છગનભાઈ દુબરીયા (ઉંમર ૨૨)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે અને હાલમાં આ બનાવની તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. વઘેરા ચલાવી રહ્યા છે અને યુવાની કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ગુમ થયેલ પરિણીતા મળી આવી

મોરબીના કંડલા બાયપાસ ઉપર શનાળા પાસે આવેલ ગોકુલનગર નજીકની ખોજા સોસાયટીમાં રહેતા કરીમભાઈ અબ્દુલભાઈ પબાણી જાતે ખોજા નામના ૩૫ વર્ષીય યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેઓની પત્ની સીમાબેન કરીમભાઈ પબાણી ખોજા (ઉમર ૨૫) તેમના સાડા ચાર વર્ષીય પુત્ર સલીમને લઈન ઘરેથી નીકળી ગયા છે અને ઘરમેળે તપાસ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો નથી.દરમિયાનમાં ખુલાસો થયો હતો કે ગુમ થયેલા સીમાબેનને પોતાના પતિ સાથે મનમેળ ન હોય તેમની સાથે રહેવા માગતા નથી અને એકલા રહેવા માગે છે. તેમજ સુનિલ રમેશ કાથવયરાણી જાતે લોહાણા (૩૭) ધંધો ફ્રુટનો વેપાર રહે.લાતી પ્લોટ શેરી નંબર-૩ મોરબી સાથે મૈત્રી કરાર કરેલા છે જેથી પોલીસે આ અંગે નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News