ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે તળાવમાં કોઈપણ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેને બોડીને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે બેલા ગામ પાસે આવેલ ઇવોના સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં કામ કરતા બૂધલૂભાઈ સુરૂભાઈ ઘૂટવાડ (૨૮)નું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને તળાવના પાણીમાંથી બહાર કાઢીને નરસિંગભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો રાજેશ લાડુરામ પુનિયા જાતે જાટ નામનો ૪૦ વર્ષીય યુવાન તેના ઘરે હતો દરમિયાન તેને હાર્ટએટેક આવી જતાં બેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હપેશભાઇ ચાવડાએ પહોંચીને અંગે તપાસ હાથ ધરી હતી.

રીક્ષામાંથી પડી જતા ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો અકબર ઇશાકભાઇ નોતીયાર નામનો ૪૪ વર્ષીય યુવાન રીક્ષામાં જતો હતો દરમિયાનમાં તે રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રોટરીનગર ગામના રહેવાસી મીનાબેન દેવરામભાઈ રામાનુજ નામની એકવીસ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર જ ભરતનગર ગામની પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી મીનાબેનને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News