મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE

















મોરબીના રફાળેશ્વર ગામે થયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામેથી બે માસ પહેલા સગીરાનુ અપહરણ થયું હતું જે અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ દ્વારા હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના વિસ્તારમાં આવેલ રફાળેશ્વર ગામેથી આશરે બે માસ પહેલા સગીરવયની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેથી કલમ ૩૬૩,૩૬૬ (અપરણ) અને પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જે બનાવમાં હાલમાં તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા દિલિપ ઉર્ફે દિગો સવજી સુરેલા કોળી (ઉમર ૨૦) રહે.રામજી મંદિર પાસે રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

ધાંગધ્રાનો રહેવાસી નવઘણ પોપટભાઇ દેવીપુજક નામનો ૩૩ વર્ષીય યુવાન તેના ઘર પાસે શેરીમાંથી બાઈક લઈને જતો હતો અને રસ્તામાં તે નિચે પડી જતા તેને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણાના વેજલપર ગામે રહેતો જયેશ ચતુરભાઈ ધાનજા નામનો ૪૭ વર્ષીય યુવાન તેના ઘરેથી વાળા તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત થયેલા જયેશ ધાનજાને પણ સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના લાલપર ગામે રહેતા ભાવિશાબેન રજનીશભાઇ ભલસોડ નામની મહિલા સરતાનપર રોડ ઉપરથી બાઇકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા ભાવિશાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા થોભણભાઈ નાથાભાઈ ઘોડાસરા નામના ૭૪ વર્ષીય વૃધ્ધ નવા-જુના સજજનપર વચ્ચેથી જતા હતા ત્યાં રસ્તામાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પીપળી રોડ ઉપર મોંન્ઝા સિરામીક પાસે થયેલ મારામારીના બનાવમાં અજય રણવીરસિંગ નાયક નામના ૧૮ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.




Latest News