ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે થયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામેથી બે માસ પહેલા સગીરાનુ અપહરણ થયું હતું જે અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ દ્વારા હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના વિસ્તારમાં આવેલ રફાળેશ્વર ગામેથી આશરે બે માસ પહેલા સગીરવયની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેથી કલમ ૩૬૩,૩૬૬ (અપરણ) અને પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જે બનાવમાં હાલમાં તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા દિલિપ ઉર્ફે દિગો સવજી સુરેલા કોળી (ઉમર ૨૦) રહે.રામજી મંદિર પાસે રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

ધાંગધ્રાનો રહેવાસી નવઘણ પોપટભાઇ દેવીપુજક નામનો ૩૩ વર્ષીય યુવાન તેના ઘર પાસે શેરીમાંથી બાઈક લઈને જતો હતો અને રસ્તામાં તે નિચે પડી જતા તેને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણાના વેજલપર ગામે રહેતો જયેશ ચતુરભાઈ ધાનજા નામનો ૪૭ વર્ષીય યુવાન તેના ઘરેથી વાળા તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત થયેલા જયેશ ધાનજાને પણ સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના લાલપર ગામે રહેતા ભાવિશાબેન રજનીશભાઇ ભલસોડ નામની મહિલા સરતાનપર રોડ ઉપરથી બાઇકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા ભાવિશાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા થોભણભાઈ નાથાભાઈ ઘોડાસરા નામના ૭૪ વર્ષીય વૃધ્ધ નવા-જુના સજજનપર વચ્ચેથી જતા હતા ત્યાં રસ્તામાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પીપળી રોડ ઉપર મોંન્ઝા સિરામીક પાસે થયેલ મારામારીના બનાવમાં અજય રણવીરસિંગ નાયક નામના ૧૮ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.






Latest News