ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા

મોરબી જીલ્લામાં આવેલા નર્મદની ત્રણેય કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોએ કરેલ વાવણી બચી શકે તેમ હતી જેથી કરીને માજી ધારાસભ્ય દ્વારા આ મુદે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને સરકારે હાલમાં આ ત્રણેય કેનાલમાં પાણી છોડતા માજી ધારાસભ્યએ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે

મોરબી માળીયા વિસ્તારના ખેડૂતોના હામી, ખેડૂતો માટે છેક માર્કેટીંગ યાર્ડની જમીનથી શરૂ કરી, નવા ડેમ, તળાવો ઊંડા ઉતારવા, બોરી બંધ બનાવવા કે કેનાલ દ્વારા છેલ્લા ખેતર સુધી પાણી પહોંચાડવા સતત અવિરત કાર્યરત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોની વાવણી નિષ્ફળ ન જાયએ માટે સરકાર, સંગઠન અને અધિકારી સ્તર પર રજુઆત કરી હતી અને વર્ષોના અનુભવનો નિચોડ લઈને આ વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી લઈ આવવાના ભગીરથ પ્રયત્નો સફળ રહ્યા છે અને તેમણે એવો આશાવાદ પણ પ્રગટ કર્યો છે કે વરસાદ પણ આવશે અને ખેડૂતોની વાવણી નિષ્ફળ નહીં જાય. કેનાલોમાં પાણી છોડવા બદલ કાંતિભાઈ અમૃતિયાએ ગુજરાત સરકારનો, સંગઠનનો, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાનો, પૂર્વ મંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા અને આ અભિયાનમાં જેઓએ નાનો સરખો પણ પ્રયત્ન કર્યો હોયએ તમામ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરેલ છે.






Latest News