મોરબીમાં FIEO દ્રારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેમજ સિરામીક એસો.સાથે એક્સપોર્ટ મીટનું આયોજન
વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા
SHARE
વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં ગત તા ૨૬ ના રોજ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે વાંકાનેરની આસપાસના વિસ્તારમાં પણ પવન અને વરસાદ હોવાથી ઘણી નુકસાની થઈ હતી દરમિયાન ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા અને આ બાબતની જાણ તલાટી મંત્રીને કરવામાં આવતા ધરમનગર ગ્રામ પંચાયતના તલાટી સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્થળ ઉપર થયેલ નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારી વાંકાનેરને કરી આપ્યો હતો તેમ છતાં હજુ સુધી જે લોકોને નુકસાન થયું છે તેને કોઈ પણ પ્રકારનું વળતર સરકાર તરફથી મળેલ નથી. જેથી કરીને સરકાર તરફથી મળવા પાત્ર થતું વળતર નુકસાની થયેલા તમામ પરિવારોને ચૂકવવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે