મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા


SHARE













વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં ગત તા ૨૬ ના રોજ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે વાંકાનેરની આસપાસના વિસ્તારમાં પણ પવન અને વરસાદ હોવાથી ઘણી નુકસાની થઈ હતી દરમિયાન ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા અને આ બાબતની જાણ તલાટી મંત્રીને કરવામાં આવતા ધરમનગર ગ્રામ પંચાયતના તલાટી સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્થળ ઉપર થયેલ નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારી વાંકાનેરને કરી આપ્યો હતો તેમ છતાં હજુ સુધી જે લોકોને નુકસાન થયું છે તેને કોઈ પણ પ્રકારનું વળતર સરકાર તરફથી મળેલ નથી. જેથી કરીને સરકાર તરફથી મળવા પાત્ર થતું વળતર નુકસાની થયેલા તમામ પરિવારોને ચૂકવવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે






Latest News