મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા


SHARE







વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં ગત તા ૨૬ ના રોજ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે વાંકાનેરની આસપાસના વિસ્તારમાં પણ પવન અને વરસાદ હોવાથી ઘણી નુકસાની થઈ હતી દરમિયાન ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા અને આ બાબતની જાણ તલાટી મંત્રીને કરવામાં આવતા ધરમનગર ગ્રામ પંચાયતના તલાટી સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્થળ ઉપર થયેલ નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારી વાંકાનેરને કરી આપ્યો હતો તેમ છતાં હજુ સુધી જે લોકોને નુકસાન થયું છે તેને કોઈ પણ પ્રકારનું વળતર સરકાર તરફથી મળેલ નથી. જેથી કરીને સરકાર તરફથી મળવા પાત્ર થતું વળતર નુકસાની થયેલા તમામ પરિવારોને ચૂકવવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે






Latest News