મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળિયા (મી.) માં તમામ પેસેન્જર ટ્રેનને સ્ટોપ આપવાની માંગ


SHARE







માળિયા (મી.) માં તમામ પેસેન્જર ટ્રેનને સ્ટોપ આપવાની માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવેલ છે કે,

મોરબી જીલ્લામાં માળિયા (મિં.) તાલુકો આવેલ છે.જે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતું મુખ્ય સેન્ટર છે.અહીં મીઠા ઉદ્યોગ તેમજ માછીમારી ઉદ્યોગ વિકસેલા છે.જો કચ્છમાંથી આવતી જતી બધી જ ટ્રેનને માળિયા (મિં.) ખાતે સ્ટોપ આપવામાં આવે તો અહીંના લોકો તેમજ મોરબીના લોકોને પણ મોટી સુવિધા મળે તેમ છે માટે રાજય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઆતો કરીને અહિં સ્ટોપેજ આપવા યોગ્ય કરવા માંગ કરાયેલ છે.તે ઉપરાંત કોરોનાને કારણે બંધ થયેલ ડેમુ ટ્રેઈન કેજે રાજકોટથી માળિયા સુધી આવતી હતી તેને ફરીથી ચાલુ કરવા પણ તેઓએ માંગણી કરેલ છે.તો લોક સુખાકારી કાજે આ બાબતે યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ જણાવેલ છે.






Latest News