મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર રેલવે સ્ટેશન જતાં રસ્તે ગટર પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE









વાંકાનેરના હસનપર રેલવે સ્ટેશન જતાં રસ્તે ગટર પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી

વાંકાનેર નજીક હસનપર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર સર્વિસ રોડની બાજુમાં ગટર પાસે યુવાનની લાશ પડી હતી જેની પોલીસને જાણ કરવામાં આવતા ત્યાં પોલીસ પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેક સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવીની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર શહેર નજીક હસનપર રેલવે સ્ટેશન તરફ જવાના રસ્તા ઉપર આવતા સર્વિસ રોડ પર ગટરની બાજુમાં અજાણ્યા ૨૫થી ૩૦ વર્ષના યુવાનની લાશ પડી હોવા અંગેની અશોકભાઈ મૂળજીભાઈ મકવાણા રહે. હસનપર વાળાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃત યુવાનની ઓળખ મેળવવા માટે હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

એટેક આવતા મોત

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે આવેલા મૂળ અમદાવાદના રહેવાસી દિનેશભાઈ મનજીભાઈ વાઘેલા (ઉંમર ૩૬)ને  એટેક આવતાં તેનું મૃત્યુ નીપજયું હતું તેની ડેડ બોડીને તેના પિતા મનજીભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News