વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ
SHARE









વાંકાનેરના પર્યાવરણ પ્રેમી રાજાની યાદમાં કરાયું વૃક્ષારોપણ
(શાહરુખ ચૌહાણ દ્વારા) પર્યાવરણ પ્રેમી સદગત મહારાણા રાજસાહેબ ડો. દિગ્વિજયસિંહજી ઝાલા (પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી)ની યાદમાં પર્યાવરણ પ્રેમી મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીની આગેવાનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવા આવેલ હતો જેમાં સંતો, મહંતો, ફોરેસ્ટ ઓફિસરો, પર્યાવરણ સાથે જોડાયેલા લોકો તથા સંસ્થાઓ તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને કિંમતી ટીસ્યુ કલ્ચર સાગના છોડ સન્માન સ્વરૂપે ભેટ આપેલ હતા ગત વર્ષે મહારાણા રાજસાહેબ કેસરીદેવસિંહજીએ ૨૫૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. તેના બદલે ૪૬૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ સમગ્ર વાંકાનેર તાલુકામાં કરેલ છે તેમાં સૌથી વધુ સહયોગ વાંકાનેર ફોરેસ્ટ વિભાગે આપેલ છે અને હાલમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા
