હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા


SHARE

















હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા

સરકાર દ્વારા ખેડૂતોને કેનાલમાંથી સીંચાઈનું પાણી મળે તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડુ પડતા કેનાલના પાણી અંદાજે ૩૦ વીઘા જેટલા ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે

હાલમાં નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના જીવા અને હળવદના ઢવાણા ગામ પાસે કેનાલમાં આજે સવારે ગાબડું પડ્યું હતું અને નર્મદાની ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ઘનશ્યામભાઈ શામજીભાઈ, શામજીભાઈ નાગરભાઈ, વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, પ્રવિણભાઈ ગોરધનભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતાં ૩૦ વીઘા જેટલા પાકને નુકશાન થયું છે અને ચોમાસા પહેલા આગોતરા વાવેતર કરનારા ખેડૂતોને હાલમાં માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે




Latest News