ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા


SHARE













હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા

સરકાર દ્વારા ખેડૂતોને કેનાલમાંથી સીંચાઈનું પાણી મળે તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડુ પડતા કેનાલના પાણી અંદાજે ૩૦ વીઘા જેટલા ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે

હાલમાં નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના જીવા અને હળવદના ઢવાણા ગામ પાસે કેનાલમાં આજે સવારે ગાબડું પડ્યું હતું અને નર્મદાની ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ઘનશ્યામભાઈ શામજીભાઈ, શામજીભાઈ નાગરભાઈ, વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, પ્રવિણભાઈ ગોરધનભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતાં ૩૦ વીઘા જેટલા પાકને નુકશાન થયું છે અને ચોમાસા પહેલા આગોતરા વાવેતર કરનારા ખેડૂતોને હાલમાં માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે






Latest News