મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા


SHARE









હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા

સરકાર દ્વારા ખેડૂતોને કેનાલમાંથી સીંચાઈનું પાણી મળે તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડુ પડતા કેનાલના પાણી અંદાજે ૩૦ વીઘા જેટલા ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે

હાલમાં નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના જીવા અને હળવદના ઢવાણા ગામ પાસે કેનાલમાં આજે સવારે ગાબડું પડ્યું હતું અને નર્મદાની ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ઘનશ્યામભાઈ શામજીભાઈ, શામજીભાઈ નાગરભાઈ, વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, પ્રવિણભાઈ ગોરધનભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતાં ૩૦ વીઘા જેટલા પાકને નુકશાન થયું છે અને ચોમાસા પહેલા આગોતરા વાવેતર કરનારા ખેડૂતોને હાલમાં માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે






Latest News