મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા


SHARE











હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા

સરકાર દ્વારા ખેડૂતોને કેનાલમાંથી સીંચાઈનું પાણી મળે તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડુ પડતા કેનાલના પાણી અંદાજે ૩૦ વીઘા જેટલા ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે

હાલમાં નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના જીવા અને હળવદના ઢવાણા ગામ પાસે કેનાલમાં આજે સવારે ગાબડું પડ્યું હતું અને નર્મદાની ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ઘનશ્યામભાઈ શામજીભાઈ, શામજીભાઈ નાગરભાઈ, વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, પ્રવિણભાઈ ગોરધનભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતાં ૩૦ વીઘા જેટલા પાકને નુકશાન થયું છે અને ચોમાસા પહેલા આગોતરા વાવેતર કરનારા ખેડૂતોને હાલમાં માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે






Latest News