ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના શનાળા ગામ પાસે અજંતા ક્લોક નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાંથી નીચે પડી ગયેલા મુર્ગન અન્ના (ઉમર ૪૬) રહે.એંધીપુર ઇરોડ તમિલનાડુ નામના યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે રહેતા નૂરમામદભાઈ હાજીભાઈ શેરસિયા નામના ૬૮ વર્ષીય આધેડ ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતા હતા તે દરમિયાન અન્ય બાઇક ચાલક સાથે તેમનો વાહન અકસ્માત સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત નુરમમદભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

જામનગરના જોડિયા ખાતે રહેતા નેહાબેન કલ્યાણજીભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય મહિલાને જામનગરના હાપા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે હળવદના રહેવાસી કમલેશ હરિલાલ સોલંકી નામના ૪૭ વર્ષીય યુવાનને હળવદમાં લુહાર વાળી સામે ગાયે હડફેટે લેતા ઇજાઓ થવાથી કમલેશભાઈને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ઝેરી જનાવર કરી જતા સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના સુલતાનપુર ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી ગયું હોવાથી સંગીતાબેન રાકેશભાઈ ભુરીયા જાતે આદિવાસી નામની ૨૩ વર્ષની મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના રણમલપુર ગામે રહેતા દેવકરણભાઈ કેશવજીભાઈ પારજીયા નામના ૫૮ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News