મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના શનાળા ગામ પાસે અજંતા ક્લોક નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાંથી નીચે પડી ગયેલા મુર્ગન અન્ના (ઉમર ૪૬) રહે.એંધીપુર ઇરોડ તમિલનાડુ નામના યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે રહેતા નૂરમામદભાઈ હાજીભાઈ શેરસિયા નામના ૬૮ વર્ષીય આધેડ ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતા હતા તે દરમિયાન અન્ય બાઇક ચાલક સાથે તેમનો વાહન અકસ્માત સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત નુરમમદભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

જામનગરના જોડિયા ખાતે રહેતા નેહાબેન કલ્યાણજીભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય મહિલાને જામનગરના હાપા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે હળવદના રહેવાસી કમલેશ હરિલાલ સોલંકી નામના ૪૭ વર્ષીય યુવાનને હળવદમાં લુહાર વાળી સામે ગાયે હડફેટે લેતા ઇજાઓ થવાથી કમલેશભાઈને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ઝેરી જનાવર કરી જતા સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના સુલતાનપુર ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી ગયું હોવાથી સંગીતાબેન રાકેશભાઈ ભુરીયા જાતે આદિવાસી નામની ૨૩ વર્ષની મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના રણમલપુર ગામે રહેતા દેવકરણભાઈ કેશવજીભાઈ પારજીયા નામના ૫૮ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News