મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના શનાળા ગામ પાસે અજંતા ક્લોક નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાંથી નીચે પડી ગયેલા મુર્ગન અન્ના (ઉમર ૪૬) રહે.એંધીપુર ઇરોડ તમિલનાડુ નામના યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે રહેતા નૂરમામદભાઈ હાજીભાઈ શેરસિયા નામના ૬૮ વર્ષીય આધેડ ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતા હતા તે દરમિયાન અન્ય બાઇક ચાલક સાથે તેમનો વાહન અકસ્માત સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત નુરમમદભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

જામનગરના જોડિયા ખાતે રહેતા નેહાબેન કલ્યાણજીભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય મહિલાને જામનગરના હાપા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે હળવદના રહેવાસી કમલેશ હરિલાલ સોલંકી નામના ૪૭ વર્ષીય યુવાનને હળવદમાં લુહાર વાળી સામે ગાયે હડફેટે લેતા ઇજાઓ થવાથી કમલેશભાઈને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ઝેરી જનાવર કરી જતા સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના સુલતાનપુર ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી ગયું હોવાથી સંગીતાબેન રાકેશભાઈ ભુરીયા જાતે આદિવાસી નામની ૨૩ વર્ષની મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના રણમલપુર ગામે રહેતા દેવકરણભાઈ કેશવજીભાઈ પારજીયા નામના ૫૮ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News