મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ


SHARE









મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ

મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયાથી નવાગામ અને ત્યાંથી માળિયા જતો રસ્તે ખુબ જ બિસ્માર હાલતમાં હોય તાત્કાલિક  રીપેરીંગ કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નવલખી રોડથી ગોર ખીજડીયા દેરાળા નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રોડ વચ્ચેના ગામોને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટેનો ખુબજ અગત્યનો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલતમાં છે. 

સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાછ  વારે જુદા જુદા રસ્તાઓ મંજુર કરવાના સમાચારો આપવામાં આવે છે ત્યારે દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા, બગસરા, જાજાસર માળિયા રોડને મંજૂર કરતાં હોય તો આ રોડ ઓછા ખર્ચમાં પણ થઈ શકે તેમ છે અને ઘણા લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે તો તેને શા માટે મંજુર કરવામાં આવતો નથી જો આ રોડનું કામ નહીં કરવામાં આવે તો લોકોને અંદોલન કરવું પડશે 






Latest News