હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ


SHARE

















મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ

મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયાથી નવાગામ અને ત્યાંથી માળિયા જતો રસ્તે ખુબ જ બિસ્માર હાલતમાં હોય તાત્કાલિક  રીપેરીંગ કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નવલખી રોડથી ગોર ખીજડીયા દેરાળા નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રોડ વચ્ચેના ગામોને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટેનો ખુબજ અગત્યનો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલતમાં છે. 

સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાછ  વારે જુદા જુદા રસ્તાઓ મંજુર કરવાના સમાચારો આપવામાં આવે છે ત્યારે દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા, બગસરા, જાજાસર માળિયા રોડને મંજૂર કરતાં હોય તો આ રોડ ઓછા ખર્ચમાં પણ થઈ શકે તેમ છે અને ઘણા લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે તો તેને શા માટે મંજુર કરવામાં આવતો નથી જો આ રોડનું કામ નહીં કરવામાં આવે તો લોકોને અંદોલન કરવું પડશે 




Latest News